SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪ ) ને એક પુત્રી થાય તે તે જ દિવસથી મારે વિષયસુખ પૂણું થયું એમ હું માનું. અર્થાત્ જો એક પુત્રી થાય તે પછી સ'સારસુખની મને કાંઇ પણ ઇચ્છા ખાી રહી નથી. સુંદરી ! મંત્ર, ત ંત્ર, ઔષધાúદે કાઇ પણ ઉપાય કર, તે પ્રયે!ગથી જો મને એક પુત્રી થાય તે મારા મનેરથા પૂરું થાય. સુદરીએ ઉત્તર આપ્યા. મ્હેન ! તારી માફક મારી માતાને પુત્રની ઇચ્છા થઇ હતી. તે ઇચ્છા પૂ` કરવા માટે અનેક દેવતાઓનુ` તેણે ધણીવાર આરાધન કર્યું. ઘણાં તિલક, ઔષધ, અને સ્નાન, પાન કર્યાં. તેપણુ નેત્રને આનંદ આપનાર એક પણ પુત્ર ન થયે!. તેના ખા ઉપાય તેા એ છે કે જેમ અભયદાન ( જીવેતે મરણના ભયથી બચાવવા તે અભયદાન કહેવાય છે) આપવ!થી વ્યાધિ રહિત શરાર પ્રાપ્ત થાય છે તેમ, સુપાત્રદાન આપવાથી ધણી ઋદ્ધિ અને પુત્રાની પ્રાપ્તિ થાય છે છતાં પુત્રીની પ્રાપ્તિ માટે તમારે વિશેષ આગ્રહ છે તે। આજની જ રાત્રીએ વિધિપૂર્વક કુળદેવીની આરાધના કરે તે પુત્રી થશે કે નહિં તેનું ખર્` રહસ્ય તે તમને જણાવી આપશે. ચદ્રલેખાએ જવાબ આપ્યા: બહેન ! તે કામ તારે પેાતાને કરવાનુ છે. તારા જે કુળદેવ છે તે જ આજથી મારા કુળદેવ છે, એમ ખાત્રીથી કહું છું. ચંદ્રલેખાને વિશેષ આગ્રહ હોવાથી સુ દરીએ તે વાત અ`ગીકાર કરી, રાણીની રજા લઈ સુંદરી ચંદ્રકોષ્ટીને ઘેર આવી, ઉપવાસનું પચ્ચખાણ કરી, મુનિસુવ્રતસ્વામી તીર્થંકરની શાસના ધિષ્ઠાતુ નરદ્વત્તા દેવીનું આરાધન કરવા નિમિત્તે પવિત્ર થઇ એકાંત સ્થળે સ્મરણ કરવા ખેડી. પરિણામની વિશુદ્ધિ, ભક્તિની વૃદ્ધિ અને એકાગ્રતાની સિદ્ધિ પૂર્ણ હોવાથી તે જ રાત્રિએ નરદ્વત્તા દેવી પ્રગટ થઈ, સુંદરીતે કહેવા લાગી, સુંદરી ! તારી મ્હેન ચ દ્રલેખાને પુત્રી થશે. તેની નિશાની તરીકે આજ રાત્રીએ તેને અમુક સ્વપ્ન આવશે, ઇત્યાદિ કહી, ઉત્તમ વસ્તુની શેષ આપી દેવી અંતર્ધ્યાન થઈ ગઇ. સુંદરી પણ ધ્યાન પૂ ।
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy