SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) ત્પન્ન કરતા રાજા રાણીએ મહેલમાં પ્રવેશ કર્યો. રાજાએ આખા શહેરમાં વધામણું કરાયું. ધ્વજા, પતાકાથી શહેર શણગારાયું. બંદીવાને છોડી મૂક્યા. ગરીબ અપંગ મનુષ્યોને દાન આપ્યું. રાજા મરણથી નિવૃત્ત થયો. રાણી મળી આવી. પાટવી કુમારને જન્મ થશે. આવા એકી સાથે ત્રણે આનંદથી શહેરની તવારીખમાં તે દિવસ સોનેરી અક્ષરોથી લખાયે. બારમે દિવસે કુમારનું પૂર્ણકલર નામ આપ્યું. ગિરિકંદરામાં ઉત્પન્ન થયેલા ચંપકની માફક નિરુપદ્રવપણે રાજકુમાર વૃદ્ધિ પામવા લાગ્યો. આ બાજુ નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતાં કેટલાંક વર્ષો વ્યતીત થયાં. રાજકુમાર વિન વય પામે. . રાજ રાણીને પ્રતિબંધ પામવાને અવસર જાણું અમીતતેજ ગુરૂ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં દેવશરણુ ઉધાનમાં આવી ઉતર્યા. રાજારાણું સપરિવાર વંદન કરવા આવ્યાં. ગુરુશીએ ધર્મદેશના નો પ્રારંભ કર્યો. રાજન ! માનવક્ષેત્ર, આર્યભૂમિ, મનુષ્યજન્મ, નિરોગી શરીર, વિચારશક્તિ, દેવગુરુને સમાગમ અને ધર્મશ્રદ્ધાન-આ એક એક સામગ્રી ક્રમે ક્રમે દુર્લભ છે. રત્નભૂમિની માફક આ દુર્લભ સામગ્રી તને મળી ચૂકી છે. રાનખાણમાંથી ચિંતામણીરત્નની માફક ચારિત્રરત્ન મેળવવું સુલભ છે, માટે રાજા જાગૃત થા. પ્રસાદ નિદ્રાનો ત્યાગ કર. આયુષ્ય અલ્પ છે. વખત થોડો છે. વિન્ને અનેક છે. વિલંબ કરવાને વખત નથી. ઈત્યાદિ ગુરુવાક્યોનું શ્રવણ થતાં રાજા જાગૃતિમાં આવ્યો. ચારિત્રાવરણી કર્મોએ માર્ગ આપે. મેહ ઓછો થયો. સંવિન થઈ રાજા શહેરમાં આવ્યો. પૂર્ણકલશ પુત્ર રાજ્યાભિષેક કરી. અમીતતેજ ગુશ્રી પાસે રાજા, રાણી બનેએ ચારિત્ર ગ્રહણ કર્યું. નિર્મળ ચારિત્ર પાળી છેવટે શારીરિક તથા માનસિક સંલેખણું કરી બને જણ ૧૩.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy