SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩) સંબંધમાં તમને કાંઈ પણ ભલામણુ કરવા જેવુ' નથી, પણ તમને અહીંથી જોઇએ તેટલી મદદ મળવાનું જાણવા છતાં, આટલે વખત છુપી રીતે દુ:ખમાં રહ્યાં તેમ ન કરશે અને હિતકારી કાયમાં મારી પુત્રીને પૂર્ણરીતે સહાયક થશે. કષ્ટમાં આવી પડેલા ઉત્તમ મનુષ્યા પણ હતપ્રભાવ થાય છે તેમાં કાંઇ આશ્ચય નથી, કેમકે અતિ ઉચ્ચતર સ્થિતિનું સ્મરણ કરતાં મુનિએ પણ વિમનસ્ક થાય છે. શીળવતીએ નમ્રતાથી જણાવ્યું. મહારાજ ! વારંવાર મારી સ્થિતિને યાદ કરાવી, અ પની પુત્રીને અર્થે, આપ મને શા માટે આળભા આપે છે ? ભરૂઅય્ય પહેાંચ્યા પછી યાડ જ દિવસમાં આપની પુત્રીની કુશળ પ્રવૃત્તિ આપ સાંભળશેા માટે તે સબંધી ચિંતા ન કરતાં આપ તેને રાજીખુશીયી ભરૂઅચ્ચ આવવા આજ્ઞા આપે કે તેણી પેાતાનુ' ઇચ્છિત આત્મસાધન કરે. હુ તેની સાથે છું. સુખમાં પ્રથમ ભાગ હું તેને આપીશ અને દુઃખમાં પ્રથમ ભાગ હું લઈશ. ભરૂઅચ્ચ જવા માટે રાજપુત્રી પૂર્ણ ઉત્કંઠાવાળા છે. દરેક પ્રકારની સગવડ કરાવી આપનાર ઉત્સાહી સાથવાહ સાથે છે. તેણીની મદદગાર રાજપુત્રી શાળવતી છે. ઇત્યાદિ અનુકૂળ નિમિત્તો દેખી રાજાના મનને શાંતિ થઇ. રાજા સભામાંથી ઉઠ્યા. એટલે ખીજા પણ સર્વે ઉઠયા. રૂષભદત્ત સહિત રાજાએ પ્રથમ સ્નાન કર્યુ અને પછી મુનિશ્રીના કહેવા પ્રમાણે તે શ્રેષ્ઠિની સાથે વિધિપૂર્વક દેવપૂજન કર્યુ.. ઉચિતતાનુસારે દાન આપી રાજાદિક સજનાએ ભે!જન કર્યું. ભેાજન કર્યાબાદ કોષ્ટીની સાથે રાજા ધમવાર્તામાં ગુંથાયે ધર્મચર્ચામાં રાજાનું મન એટલુ બધુ લાગ્યું હતું કે-સમય, ધડી અને પ્રહરાએ કરી પોતાના પ્રતાપને ઓછા કરતા સૂય તદ્ન નિસ્તેજ થઇ ગયા અને થોડા વખતમાં તે પશ્ચિમ દિશામાં ગેમ થઇ ગયા.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy