SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૨૩: પરંતુ મનુષ્યોને સદાચારનું ઉલ્લંઘન કરવું એ સારું નથી. ” ૧૬ આ રીતે ચંદ્રરાજાએ ઘણી યુક્તિઓપૂર્વક સમજાવ્યા છતાં પણ રાજા અને મંત્રીએ પિતાને કદાગ્રહ ન છેડ્યો. તે સર્વેએ મળીને અનેક પ્રકારના છળથી પોપકારપરાયણ તે ચંદ્રરાજાને પ્રસન્ન કરીને પિતાને અભિપ્રાય તેમની પાસે કબૂલ કરાવ્યો. “કાર્ય કર્યા સિવાય અહીંથી છુટકારો થશે નહિ એમ ક્ષણવાર વિચારીને ચંદ્રરાજાએ તે કન્યાને પરણવાનું સ્વીકાર્યું. . ચંદ્રરાજાનું કનકવજના બહાને પ્રેમલાલચ્છીને પરણવા માટે નિર્ગમન હવે સિંહલરાજાએ હર્ષ પામી સત્વર વરને શણગારી વરઘેડાની તૈયારી કરવા આદેશ કર્યો. તે વખતે ત્યાં ચારે તરફથી વિવાહપ્રસંગે મંગળમય પ્રદઆનંદદાયક વાજિંત્રોના અવાજેથી આકાશ ભરાઈ ગયું. " કનકદેવજકુમારને પિતાના આવાસમાં ગુપ્તપણે રાખ્યો. તેને બદલે ચંદ્રરાજાને કાપીને બધી તૈયારીઓ કરવા લાગ્યા. સમયને ઓળખી ચંદ્રરાજાએ પિતાના મનમાં વિવાહમહત્સવને કબૂલ કર્યો. તે પછી સિંહલરાજાએ આદેશ કરેલા પુરુષે ચંદ્રરાજાના દેહને શીતળ સુગંધી જળ વડે સ્નાન કરાવી કીમતી આભૂષણ અને શ્રેષ્ઠ વસ્ત્રોથી શણગારે છે. ત્યાં
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy