SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રસ્તાવના (પ્રથમ આવૃત્તિની) કોડે વંદન હે શ્રી પાર્શ્વનાથ ભગવાનને સંસારના પ્રત્યેક (દરેક) છનાં ચરિત્રમાં સારૂ-નરસું, રિક–ઘાતક, સદાચાર-દુરાચાર, ધર્મ-અધર્મ આદિ તત્વે એ છે વત્તે અંશે ભર્યા પડયાં હોય છે. પરંતુ તીર્થની સ્થાપના કરનાર મહાન તીર્થકરોનાં જીવનમાં લગભગ બધું શુભ, સુંદર, સત્ય અને નિર્મળ જ હોય છે. બધા તીર્થકર ભગવતેનાં ચરિત્રમાં આવી વિશેષતા ઉભરાતી હોય છે. તેમાંય ૨૩ મા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર તે આત્માની અનંત શક્તિનું ભાન કરાવનારું એક ભવ્ય આદર્શ અને પ્રેરક જીવન છે. તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર તે જૈન સાહિત્યમાં ઘણુ સ્થળે અંક્તિ થયેલું છે. પણ સર્વ જીવોને હિતકારક એવું લગભગ પંચાવન ગ્લૅક પ્રમાણ વડે શણગારેલું ચરિત્ર શ્રી ઉદયવી ગણિવરે વિ. સં. ૧૬૫૪ માં અંકિત કર્યું હતું. આ ગ્રંથ પરથી ગુજરાતીમાં ભાષાનુવાદ કરીને વિ સં. ૧૯૭૫ માં જૈનધર્મ પ્રસારક સભાએ પ્રથમવાર પ્રગટ કર્યું તે હાલ અપ્રાપ્ય બનતાં પ. પૂ. આ વિ. યશોભદ્રસૂરિ મ. સા. ની શુભ પ્રેરણાથી પ્રસ્તુત ચરિત્ર પ્રતાકારે પ્રગટ થાય છે. પ્રસ્તુત શ્રી પાર્શ્વનાથ ચરિત્રમાં ભગવંતના દશ ભવનું આલેખન છે અને પ્રત્યેક ભવમાં આત્માનું પ્રેરક બળ ભર્યું પડયું છે જન્મ, જરા, રેગ અને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શાશ્વત સુખ મેળવવા પાછળ આત્માને કેટલે ભવ્ય પુરૂષાર્થ કરવો પડે છે તે હકિકત ભગવંતના ચારિત્રમાંથી જાણવા મળે છે. જેનેના સાહક જીવનમાં કોઈ પણ પ્રકારનું દુષણ ન પ્રવેશે
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy