SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મેં એ અવતરણને ઘણે આશ્રય લીધો છે. આશ્રય લેવા છતાં એની છાયા ન આવે એમ કેમ મનાય ? સહૃદયતા પૂર્વક મારે જણાવવું જોઈએ કે શ્રીયુત મોતીચંદભાઈનું અવતરણું ઘણું વિશદ, ઉપયોગી અને વાંચવા જેવું છે. વાચકવર્ગને નમ્રભાવે જણાવું છું કે આપ આ ગ્રંથને વાંચો. તો એ પછી શ્રી મોતીચંદભાઈએ લખેલ અવતરણને વાંચજે. એમાં ઘણું તનું જ્ઞાન સ્પષ્ટ થશે. એ કથાગ્રંથ કરતાં અભ્યાસ ગ્રંથમાં ગણું શકાય એવો આલેખાય છે. એકાદવાર અને એ પણ ઉપર છલ્લી, નજરથી વાંચવાથી મર્મો નહિ મેળવી શકાય, મનન પૂર્વક વધુ વખત. વાંચવાથી આનંદપ્રદ બનશે. - પૂજ્યવર મુનિરાજશ્રી મનોહરસાગરજી સહૃદયતા પૂર્વક પ્રાથમિકપ્રફનું શોધન કરી આપતા હતા. એ માટે પૂજ્યવર મુનિરાજશ્રી મનહરસાગરજીની અનુમોદના કરું છું આ અવતરણ કેટલું ઉપયોગી થશે અને કેટલે અંશે આદરણીય બનશે એ સહદયી વિદ્વત જાણી શકે અને જોકપ્રિયતા કેટલી. મેળવશે એ વાચકવર્ગ ઉપર આધારિત છે. સંસ્કૃત ઉપમિતિભવપ્રપંચાકથા સારોદ્ધારના સંશોધક અને સંપાદક સ્વ. પૂજયપાદ અવિરલગુણસંપન્ન પન્યાસજી મહારાજશ્રી. કાંતિવિજયજી ગણિવરશ્રીએ આ અવતરણ લખતા અગાઉ જણાવેલું હતું કે લખવામાં ભાષાને સાદી રાખશે. વધુ પડતા ભભકાદાર શબ્દો મૂકવાની જરૂર નથી. અંલકારો અને સ્વૈચ્છિક ઉપમાઓની ભરતી વધુ ન થઈ જાય એ લક્ષ રાખશે. નહિ તો મૂળ આશય ગૌણ બની જવાની અને કથાગ્રંથ નવલિકા બની જવાની શક્યતાની ભીતિ ઉભી થશે.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy