SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સારોદ્ધાર પછી હમણાં જે રાજકુમારને જન્મ થયેલ છે તેની જાહેરાત કેમ કરવામાં આવી? પ્રજ્ઞા વિશાલા–જરા ધીરી થઈ સાંભળ ! આપણું આજ નગરીમાં “સદાગમ” નામના પુરૂષ રહે છે. જે મારા ચીર પરિચિત અને જુના જાણીતા છે. અતિ ગુણશીલ અને આનંદી છે. એક દિવસ મેં એમના મુખ ઉપર ઘણી પ્રફુલ્લતા જોઈ એટલે મેં એ પુરૂષને પૂછયું. આજ આમ આટલા બધા પ્રફુલ્લ કેમ છો ? એ હેજ હસ્યા મેં વધુ આગ્રહ કર્યો એટલે એ બોલ્યા. સાંભળ તારો આગ્રહ છે એટલે જણાવું છું. શ્રી કાળપરિણતિ મહારાણી એકાંતમાં પિતાના પતિદેવને વાત કરે છે કે, હે પતિદેવ! હું “વંધ્યા” શબ્દના ટોણ સાંભળીને કંટાળી ગઈ છું. મારે અનંતા પુત્રો છે. છતાં મારા ઉપર વંધ્યા તરીકેની ખાટી છાપ મારવામાં આવી છે. લેકે મને અપશુકનીયાળ ગણે છે. આ મારી આપત્તિ દૂર કરો. ' અરે! આપણું બાળકે પણ મુંઝાય છે. અમારે મા બાપ કોને કહેવા ? બાળકને પણ ઘણી શરમ આવે છે. રાજાએ કહ્યું હે દેવી ! જેમ તારા ઉપર “વંધ્યાને આરોપ છે. એમ મારા ઉપર પણ “નિબજ-નપુંસક” પણને આરોપ છે. એ દુઃખ મને પણ ખટક્યા કરે છે. આપણે બંને સમાન દુખવાળા છીએ. તને હવે જે પુત્ર થશે, તેની આપણે જાહેરાત કરી દઈશું. જેથી લેકમાંથી તારૂં વંધ્યાપણું દૂર થાય. નિંદા રોણા સભા કરે છે કે તે જાણી એકાંત
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy