SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ જ્ઞાન પછી દયા ૧૩ જેમાં શંકા ને તર્ક-વિતર્ક થાય, એનું નામ આજ્ઞા નથી. 'किं तदान यत्र वेला विलम्बः, काऽसावाज्ञा यत्र कार्ये विचार्यम् ।' મહાત્માએ કીધું છે કે આનું નામ દાન ન કહેવાય, ને આનું નામ આજ્ઞા ન કહેવાય. કેઈ બિચારાંને જરૂર પડીને તમારે ઘેર આવ્યા. તમને એ માણસ સારો લાગે, જરૂરિયાતવાળે લાગે, તે છતાં તમે કહો કે કાલે આવજે. બે દિવસ પછી આવજે.” આનું નામ દાને ન કહેવાય. એથી એને કેટલું દુઃખ થાય ? એની આંતરડી કકળે, ને એના નિસાસા લાગે. એ તે “ખુદા દે તે ખરા, પણ હગાહગા કર દેગા” એના જેવું થાય. તારે આપવું હોય તે તરત આપી દેવું. નહિ તે ના પાડવી. પણ કાલે આવજે ને બે કલાક પછી આવજે, એમ કહીને એને રેવડાવ, એને દુઃખી કરે ને પછી દાન આપવું, એનું નામ દાન નથી. એમ કરવાથી તે એને કેટલું આર્તધ્યાન થાય ? એનું નિમિત્ત તું બનશ. . અને ગુરુમહારાજા કહે કે આ કામ તારે કરવાનું છે. ત્યાં કહે કે હું આપની આજ્ઞામાં જ છું ને છતાં વળી એમાં વિચાર કરે, એનું નામ આજ્ઞા નથી. એ તે ગુરુમહારાજા કહે ત્યાં “તહતિ’ સિવાય બીજો વિચાર જ ન હોય. વ્યવહારસૂત્રમાં તે ત્યાં સુધી કીધું છે કે-શિષ્ય એ વિનયવંત જોઈએ કે ગુરુમહારાજા એકવાર “ઝવેતઃ ? -કાગડે ધેળે છે, એમ કહે તે પણ “હા સાહેબ! બરાબર છે, એમ જ કહે. કારણકે-ગુરુમહારાજા કાંઈક કારણ હોય
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy