SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૠગ થા [૧૩ મેલાપના સમયે, દ્રુપદરાનએ પાતાની સ્ત્રી સિવાય તમામ આપી દીધું. દ્રૌપદીને લઈ પાંડવા રથમાં બેસી પેાતાના સ્થાને આવ્યા, કૃષ્ણ વિગેરે આસન રાજાઓની સાથે પત્ની સહિત પુત્રોની સાથે પાંડુરાજા હસ્તિનાપુર આવ્યા, ઘણા દિવસેા પછી કૃષ્ણ સિવાય બીજા રાજાઓને વિદાયગિરિ આપી, કૃષ્ણની સાથે પાંડવે અનેક પ્રકારની ક્રીડાએ કરવા લાગ્યા, એક દિવસ કૃષ્ણ એકાંતમાં પાંડવાને કાંઈક કહેવા માટે તૈયાર થયા, એટલામાં આકાશમાર્ગે થી નારદજી આવ્યા, અભ્યુત્થાન આસન વિગેરેથી સત્કાર કર્યાં, પ્રસન્ન થયેલા નારદજીએ પાંડવાને ઉપદેશ આપ્યા. 1 આપના વિવાહ મંગલથી મને બ્રહ્માનંદ કરતાં પણ વિશિષ્ઠ આનંદ થયા છે. પર`તુ પાંચે ભાઈ એને એક જ સ્ત્રીની વાતથી મને દુઃખ થયું છે. ભાઈમાં વિરોધ થવાના કારણામાં સ્રીને પરમ કારણ માનવામાં આવ્યું છે. સ્ત્રી કુટુંબ સંહારક તરીકે કારણભૂત છે. આપને હું એક પ્રાચીન કથા કહુ છું. ભરતક્ષેત્રના અલંકારરૂપ રત્નપુર નામનું નગર છે, તેમાં શ્રીષેણુ નામે ન્યાયી રાજા થયા, તેમને અભિનંદિતા અને શિખિનંદિતા નામની બે પત્નીઓ હતી, અભિનંદ્વિતાને ઈન્સુષેણુ, ખિદુષણ નામના બે પુત્રા થયા, એ મને શસ્રશાસ્ત્ર વિદ્યાએ શિખ્યા, યુવાન અવસ્થાએ રાજાએ મનેના લગ્ન કરાવ્યા, એક વખત અનંગસેના નામની અત્યંત સુંદર વેશ્યા નગરમાં આવી, ખંને રાજવી–
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy