________________
આવી કાવ્યરચના પ્રથમવાર જ કરવાનું શ્રેય પૂ. મુનિશ્રીના શિરે અંકિત કરવું જ રહ્યું. ગુજરાતી કાવ્યરચના પણ સહેલી નથી, ત્યાં સંસ્કૃતમાં આવી રચના માત્ર એક-એક અક્ષર-વ્યંજનમાંથી શબ્દોને ગુંથીને કરવી, એ તો ક્યાંથી સહેલી હોય. પણ મુનિશ્રી આવી રચનામાં સફ્ળ સિદ્ધ થયા છે, આવી વિદ્વત્તાનો સૌ રસાસ્વાદ માણી શકે, એ માટે સંસ્કૃતમાં રાજહંસાવૃત્તિ અને ગુજરાતીમાં રાજરશ્મિ નામક અનુવાદ સહિત મુદ્રિત આ કાવ્ય પ્રકાશનને ‘સૌમ્યવદના' કરતા અનેક ગણો આવકાર મળી રહેશે, એ નક્કી છે.
અભિપ્રાય
१०१
કલ્યાણ (માસિક) એપ્રીલ-૨૦૧૦