SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૩ ધ્યાન, અરિહંતનુ ધ્યાન કરતાં કાયાનુ` ઉપશમન થાય તેથી ના દુઃખમાં ચિત્ત ન જોડાય: તેથી તે શુભ ધ્યાન કહેવાય ને ? સતી દમયતીએ પેાતાના શીયળના રક્ષણ માટે ચાર મહાન પ્રતિજ્ઞા લીધી. દુઃખમાં પણ ચિત્તની સમાધિન ગુમાવવી એ મહાન ગુણ છે. દમયંતીએ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી પુનઃ પતિનુ મિલન ન થાય ત્યાં સુધી મારે દૂધ-દહી-ઘી-તેલ-ગેાળ સાકર, કડા વિગય (તળેલું ન ખાવુ) એમ પાંચ વિગયના ત્યાગ, રંગીન વસ્ત્રોના ત્યાગ, શ્વેત વસ્ત્રો જ પહેરવાં, પથારીનેા ત્યાગ, અને શણગારના પણ ત્યાગ, જેને બ્રહ્મચર્યનું પાલન કરવું હાય તેને આ ચાર વસ્તુનો ત્યાગ કરવા જોઈએ. સતી દમયંતીના મા ત્યાગમાં પણ પતિના મેહ ન હતા કે મારા પતિ મને છોડીને ગયા તા મારે ખાવુંપીવું–પહેરવું–ઓઢવું, આ બધુ કોના માટે કરવુ' છે? આવા મેાહથી નહિ પણ પેાતાના શીયળના રક્ષણ માટે ત્યાગ કર્યાં હતા. દમયંતીને નળરાજા માર વષે મળવાના હતાં. ખાર બાર વર્ષ સુધી પાંચે વિગયને ત્યાગ કર્યાં. અને આજે તે માનવને એક દિવસ પણ ચાનું કોડિયું નથી છૂટતુ. તિથિએ બ્રહ્મચર્યનું પાલન કરવું પણ પાલવતુ નથી. શરીરની ટાપટીપ અને ખાનપાનના સ્વાદ ઓછા થાય તેા શીયળ પાળવુ' ગમે ને ? તમને એક દિવસ માટે ત્યાગ નથી થતા તે આ સતીએ ખાર બાર વર્ષ સુધી કેવી રીતે છેડયું હશે ? જેને મન શરીરનાં સુખ કરતાં શીયળની કિ ંમત વધારે છે, તેને મન વિગયના રસ અને શય્યા કે શણગારની શી કિમત ? જ્ઞાન–વૃષ્ટિની આ જ ખૂખી છે કે કાઈ પણ પ્રસંગમાં આત ધ્યાન ન કરતાં ધર્મ ધ્યાન જ કરે છે. દમય’તીએ નળરાજાના વિયેાગ પડતાં, વિયેાગના ખેઢ ન કરતાં શીયળ–રક્ષા માટે એક ગુફામાં રહી, શુભ ધ્યાનમાં લીન મની. એની શ્રદ્ધાનું મળ દિન-પ્રતિનિ વધતું ગયું.. એક વખત એવા પ્રસગ અન્ય કે સાત દિવસ સુધી વરસાદની ભારે હેલી થઈ. એ શુક્ાની પાસે રહેતા તાપસે। એ રેલમાં તણાઈ જાય એવા પ્રસંગ આણ્યે. ત્યારે દમયંતીએ જમીન ઉપર એક માઢું કુંડાળું બનાવી એમાં તાપસાને બેસાડી દીધા. બધે બંબાકાર જળ ચાલ્યા જાય છે પણ ક્રમય'તીએ બનાવેલા કુંડાળામાં એક ટીપું પાણી પડતું ન હતું. જે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે એને દેવા પણ સહાય કરે છે. આ શીલ અને શ્રદ્ધાના કેવા પાવર છે? સ ́પૂર્ણ બ્રહ્મચર્ય ની વાત છેડી દો, પણ જે માણસ પેાતાની પત્નીમાં જ સ ંતાષ માની શીયળવ્રતનું પાલન કરે છે એને પણ આટલા લાભ થાય છે. દમયંતીએ સદંતર બ્રહ્મચર્યના પ્રત્યાખ્યાન ન્હાતા કર્યાં પણ પેાતાના પતિ સિવાય દુનિયાનાં સમસ્ત પુરૂષાને પિતા ને ભાઈ તુલ્ય માન્યા હતાં. દમયતિએ એના દિલમાં શિયળનું સામ્રાજ્ય સ્થાપી જ્ઞાન દૃષ્ટિને પ્રાધાન્ય આપ્યું હતું. તા દુઃખમાં પણ સમભાવ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy