SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ કંસે મરેલી પુત્રીને પણ પગથી ઝાલીને શીલા સાથે પટકી. મૃત કલેવર ઉપર પણ એણે ક્રાધ કરવામાં બાકી ન રાખ્યુ હવે કસ તા નિર્ભય મનીને બેફામ રીતે વર્તન કરવા લાગ્યા. એનુ' અભિમાન વધવા લાગ્યું. જે કાંઈ છે તે હુ જ છું તેમ તે સમજતા હતા. જ્યાતિષીએને ખોલાવીને કહે છે જુઓ! તમારા વચન ખાટા પડયાં. ત્યારે જ્યાતિષીએ કહે છે સાહેબ! તમે ભૂલ ખાવ છે. તમારા દુશ્મન જન્મી ચૂકયા છે. અને એ માટે થઈ રહ્યો છે. કંસ કહે છે કે એની શુ' ખાત્રી ! તેા કહે છે એ તમારાં મલ્લાને અને તમારા મુખ્ય માન્મત્ત અબ્દોને ચપટીમાં ચાળી નાંખશે. આ માતા દેવકીને સાત-સાત પુત્રı થયા પણ તેણે પુત્રાને લાડ કરાવ્યા નહિ, હુલાવ્યા, ફુલાવ્યા નહિ. દૂધપાન કરાવ્યા નહિ. પહેલાં છ પુત્રાની તેા એમને ખબર નથી પણ સાતમે પુત્ર યશદાને ત્યાં છે એ તે જાણતાં હતાં. એટલે દેવકી કોઈ ફાઈ વખત પેાતાના પુત્રને વ્હાલ કરવા છાનીમાની ગેાકુળમાં જઈ આવતી અને દૂધપાન કરાવી આવતી. એમ કરતાં કરતાં કૃષ્ણ કિશારઅવસ્થામાં આવ્યા. આ તરફ કંસને પણુ - વિચાર થયા કે લાવ મારા બળદોને છૂટા મૂકાવું. જે મારા દુશ્મન જીવતા હશે તેા જોષીનાં વચન સાચા પડશે. આ ખળદો ખૂબ ઉન્મત બનેલાં છે. એને છૂટા મૂકવામાં આવ્યાં. એટલે એ ફરતાં ફરતાં યમુનાના તીરે આવ્યાં. તાફાની બળદોને જોઇને લેાકેા ડરવા લાગ્યા. બધા પેાતાના ઘરમાં પેસી જાય છે ત્યારે પેાતાના લાડીલા કૃષ્ણને કહે છે બેટા! આ બળદો બહુ તાાની છે, તે તને મારી નાંખશે, માટે આપણાં ઘરમાં પેસી જા. પણ આ કંઈ કાયર ન હતા. આટલા માણસેાને રંજાડે છે એવા બળદોને વશ કર્યા વિના એને કેમ જ'પ વળે! યશેાદાના આલ્યા ન રહ્યો. બળદોને શીગડેથી પકડીને ચપટીમાં મચ્છર ની જેમ ચાળી નાખ્યા. આવુ કૃષ્ણનું શૌય હતું, પરાક્રમ હતું, કારણ કે તે વાસુદેવ હતાં. હજુ કૃષ્ણે કેવા કેવા પરાક્રમે કર્યાં છે એ મુખ્ય વાત તા ખાકી છે. સમય થઈ ગયા છે પણ આજે અમીચંદજી મહારાજની પુણ્યતિથી હાવાથી તેમના વિષે કહેવાનું છે. એટલે કૃષ્ણવાસુદેવના જીવનની વિશેષતાઓ અવસરે કહેવાશે. આજે પૂજ્ય અમીચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથી છે. પૂ. અમીચંદ્રજી મહારાજ અમી જેવા હતાં. જેવા નામ તેવા જ તેમના જીવનમાં ગુણ્ણા હતાં. અમી માંઘુ હોય, એના કૂંડા ભરવાના ન હોય. અમીના એક બિન્દુની ઘણી કિંમત હોય છે. અમીનું એક બિંદુ મળે તેા કામ થઈ જાય છે. તેા જેના જીવનમાં અમી ભયુ ' હાય તેમની તેા વાત જ શી કરવી ? મહારાજ સાહેબ પૂજ્ય પુરૂષાત્તમજી મહારાજના લાડીલા શિષ્ય રત્ન હતા. તેમનો જન્મ ૧૯૯૮ની સાલમાં અરજણ ગામમાં થયા હતા. માતાનુ નામ મૂળી બહેન અને પિતાનું નામ ઠાકરશીભાઈ હતું. મહાન પુરૂષાનાં નામનું સ્મરણ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy