SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૭૮ re ભદ્દીલપુર નગરી, નાગ ગાહાવઈ જાણુ, સુલસા ઘેર વધિયા, સાંભળી નેમીની વાણુ. ,, પુત્રાને જન્મ થતાંની સાથે જ ભદ્દીલપુર નગરીમાં હરણુગમેષી દેવ મૂકી આવતા અને સુલસાની કુખે જે મરેલી પુત્રી જન્મતી તે દેવકી પાસે લાવીને મૂકી દેતા. કંસ વિચાર કરતા કે આ તા મરેલી પુત્રીએ જ જન્મે છે. એને સાતમા ગ`ના ભય છે. હવે દેવકી સાતમી વખતે ગર્ભવતી છે. આ વખતે કંસ ખૂબ સાવચેત હતા. તેણે પહેલેથી જ દેવકી અને વસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા. અને ચારે બાજુ ચોકીપહેરા ગોઠવી દીધા હતા. કસ રાહ જોઈને બેઠા હતા કે કયારે દેવકીને પુત્રના જન્મ થાય અને હું તેને મારું! પણ જયાં ઉત્તમ પુરૂષોના જન્મ થાય છે ત્યાં પ્રતિકૂળ સંચાગેા પણ અનુકૂળ ખની જાય છે. દેવકીને પહેલાં ગર્ભ રહેતા ત્યારે તે સિંહનું સ્વપ્ન જોતી હતી. પણ આ વખતે તેણે સાત ઉત્તમ સ્વપ્ના જોયા હતા. તેથી વસુદેવ અને દેવકીના દિલમાં આનંદ હતા કે આ વખતે વીર, સાહસિક, પરાક્રમી અને સાધુ સ ંતાની ભક્તિ કરનાર પુત્રને જન્મ થશે. માટે આ વખતે ગમે તેમ થાય પણ પુત્રનું રક્ષણ કરવુ. દેવકીએ પહેલેથી જ પેાતાની ખાલપણુની સખી યશેાદા જે ગેાકુળમાં રહેતી હતી, જે નંદ ભરવાડની પત્ની હતી, તેની સાથે સ'ક્ત કરી રાખ્યા હતા. સંયોગ પણ કેવા હતા ! દેવકી અને યશેાદા બંને એક સાથે ગર્ભવતી હતા. આ કૃષ્ણના જન્મ થતાંની સાથે જ ચમત્કાર થયા. મહાનપુરૂષોના જન્મ પહેલાં પણ કેટલે ચમત્કાર થાય છે! જ્યારે ભગવાન શાંતિનાથ માતાના ગર્ભીમાં આવ્યા ત્યારે ગામમાં મરકીના રોગ ફેલાઇ ગયા હતા, લાખા માણસા મરી જતાં હતાં તે વખતે ભગવાન શાંતિનાથની માતાએ અગાશીમાં જઈને નગરમાં ચારે તરફ દૃષ્ટિ ક્રૂરવી ત્યાં મરકીના રાગ શાંત થઈ ગયા. મહાન પુરૂષાના જન્મ પહેલાં પણ આટલે આટલે પ્રભાવ હાય છે. કૃષ્ણના જન્મના સમય થતાં ચાકીપહેરાવાળા બધા ધાર નિદ્રામાં પડી ગયા, ખુ ગામ ઊંધે છે. વસુદેવની મેડીએ તૂટી જાય છે. આ કૃષ્ણના જન્મ થતાં જ ટોપલામાં લઈ વસુદેવ ગેાકુળમાં યશેાદાને ઘેર મૂકી આવે છે અને યશોદાને તે જ સમયે મરેલી પુત્રીના જન્મ થયા હતા તે લઈ આવે છે અને દેવકીની પાસે મૂકી દે છે. આ વાતની કોઈને કંઈ જ ખખર પડી નહિ. સવાર પડતાં કંસને ખબર પડી કે દેવકીને પ્રસૂતિ થઇ. એટલે દોડતા આન્યા અને પુત્રની માંગણી કરી. ત્યારે મરેલી પુત્રી આપી. આ જોઈ ને કસ ખૂબ નાથ્યા ને કૂદ્યો. અને વિષ્ઠ બનીને ખેલવા લાગ્યું કે અહા ! મુનિના અને જ્યાતિ ષીનાં વચન ખાટાં પડચાં. તેમણે તા કહ્યું હતું કે સાત પુત્ર થશે એને બદલે આ તા સાતે ય મરેલી પુત્રીઓ જ જન્મી છે. હવે મને આ દુનિયામાં કોણુ મારનાર છે? આ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy