SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૩). વિરતિને પિષક ન થાય તે ધ્યાનમાં રાખી વિતરાગ પ્રણીત ધર્મ પ્રધાન દેશના આપવી. ૮ શ્રાવકેન્નતિ-૧ શ્રાવક શ્રાવિકાએ ધન, ધાન્ય, વસ, આભૂષણાદિ સવ યોગ્ય વસ્તુથી ધર્મની ઉન્નતિ અને સ્થિરતાને અનુલક્ષીને શ્રાવક-શ્રાવિકાની દ્રવ્ય ભક્તિ તથા શ્રી વિતરાગ દેવ સાધુ અને ધર્મ પ્રત્યે લાગણીવાળા બનાવવારૂપ ભાવભકિત કરવી એ બાબતમાં સાધુઓ ઉપદેશ આપી શકે છે. પરર૫ર સંપની વૃદ્ધિ—૧ કોઈ પણ સાધુ-સાધ્વી કે તેના સમુદાયના અવર્ણવાદ બલવા નહિ. ૨ પસ્પર આક્ષેપવાળા લેખે કે છાપા લખવા-લખાવવાં નહિ, તથા વ્યાખ્યાનમાં પણ આક્ષેપ કરવા નહિ. ૩ કઈને કઈ જાતને દેષ જણાય તે તેમને મળીને સુધારો કરવા પ્રેરણા કરવી અને તેમણે પણ તે દેષ સુધારવા પ્રયત્ન કરે. કલેકમાં ભિન્નતા ન દેખાય તેમ પરસ્પર ઉચિતતાએ વર્તવું. ૧૦ ધર્મ ઊપર થતા આક્ષેપોને અંગે–૧ આપણા પરમ પવિત્ર પૂજ્ય શાસ્ત્રો તથા તીર્થાદિ ઉપર થતા આક્ષેપોના સમાધાનને અંગે (૧) આચાર્ય શ્રીમતસાગરાનંદસૂરિજી (૨) આચાર્ય મહારાજ શ્રીમવિજયલબ્ધિસૂરિજી (૩) પંન્યાસ મહારાજ શ્રી લાવયવિજયજી (૪) મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી અને (૫) મુનિરાજ શ્રીદર્શનવિજયજીની મંડળી નીમી છે. તે મંડળીએ તે કાર્ય નિયમાવળી તેયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુઓએ એ બાબતમાં ગ્ય મદદ જરૂર કરવી તેમજ એ મંડળીને જોઈતી સહાય આપવા શ્રાવકોને પણ પ્રેરણા અને ઉપદેશ આપ. ૧૧ ધર્મમાં રાજસત્તાના પ્રવેશ સંબંધી-૧ ધર્મમાં બાધાકારી રાજસત્તાના પ્રવેશને આ સંમેલન અગ્ય માને છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy