SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ હાથી, ૫૭ હજાર ઘેડા, ૫૭ હજાર રથ અને ૫૭ કરોડ પાયદળનું લશ્કર થયું. બંને વચ્ચે સામસામું દાણુ યુદ્ધ થયું. તેમાં ચેડારાજાના હાથથી કાલી-કુમાર મરણ પામે અને એથી નરકમાં ગયો. ત્યાં તે દશ સાગરેપમની સ્થિતિ ભોગવી, ત્યાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરશે ને મોક્ષ જશે. ૬૧ કાલીરાણી. તે રાજગૃહ નગરના શ્રેણિક રાજાની રાણી હતી. કેણિકે શ્રેણિકની ગાદી પર બેસતાં, તેના પુત્ર કાલીકુમારને રાજ્યમાં ભાગ આપેલો, તેથી તે પોતાના પુત્ર સાથે કેણિકની રાજ્યધાની ચંપા નગરીમાં રહેતી. કણિકને હાર હાથી માટે ચેડા રાજા સાથે વિગ્રહ થયો તેમાં કાલીકુમાર કેણિકની મદદે ગયો, ત્યાં ચેડા રાજાના હાથે તેનું મૃત્યુ થયું. આ વખતે ભગવાન મહાવીર ચંપાનગરીના ઉદ્યાનમાં સમેસર્યા હતા. પ્રભુના દર્શને જતાં કાલીરાણીએ પોતાના પુત્રનું શું થશે એમ પૂછતાં પ્રભુએ તેના મૃત્યુ સમાચાર આપ્યા, * બંને વચ્ચે ઘણું દિવસ સુધી યુદ્ધ ચાલ્યું તેમાં કાલી આદિક દશે કુમારે ચટક રાજાના એક એક બાણથી મૃત્યુ પામ્યા. આથી કેણિક ભય પામ્યું. તેણે પોતાના મિત્ર દેવની આરાધના કરી. દેવ આવ્યો. તેને કેણિકે ચેટક રાજાને સંહાર કરવાનું કહ્યું, ત્યારે દેવે કહ્યું કે પ્રભુ મહાવીરના પરમ ભક્ત ચેટકરાજાને અમે કાંઈ પણ નુકશાન કરી શકીયે એમ નથી. પણ જો તું કહે, તે તારું રક્ષણ કરીએ. કોણિકે હા કહી, એટલે દેવે ચેડારાજાને ત્યાંથી ઉપાડીને બીજે મૂ, જેથી કેણિકનો વિજય થયો. કેણિકે વિશાળા નગરીને ઉજજડ કરી મૂકી. આ યુદ્ધમાં ૧ કરોડ ૮૦ લાખ મનુષ્યોને સંહાર થયો હતે. કહી, એટલે આ આ નગરીને જ અમે
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy