SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કે ગુરૂને હજુ શરમ છે માટે સમજી શકશે, એમ ધારી તેણે ઉત્પન્ન કરેલાં બધાં સ્વ સંકેલી લીધા અને શિષ્યનું સ્વરૂપ ધરી ગુરૂ સમીપે ઉભા રહી વંદન કર્યું અને પછી તેણે દેવ સ્વરૂપે પ્રગટ થઈ સઘળે વૃત્તાંત કહ્યો; એટલે ગુરૂને જૈનધર્મની શ્રદ્ધા દઢ થઈ. પુનઃ તેમણે ચારિત્ર લીધું. અશ્રદ્ધા માટે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થયા અને સંયમની ઉત્કૃષ્ટ શ્રેણિમાં પ્રવેશી મેક્ષ પામ્યા. ૩૨ આદ્રકુમાર, સમુદ્રની મધ્યમાં આદ્રકપુર નગર હતું. ત્યાં આર્દક રાજા રાજ્ય કરતે. તેને આદ્રકા નામની રાણી હતી અને “આદ્રકુમાર નામે પુત્ર હતા. રાજગૃહિ નગરીના રાજા શ્રેણિક અને આદ્રકપુરના રાજા આદ્રકને સારા સંબંધ હતો, તેથી તેમના રાજપુત્ર “આદ્રકુમાર અને અભયકુમાર અને મિત્રાચારી થઈ હતી. આ પ્રીતિની વૃદ્ધિ માટે બંને રાજાઓ અને બંને કુમારે પરસ્પર એકબીજાને અવનવી ભેટ એકલતા હતા. એકવાર અભયકુમારે વિચાર કર્યો કે હું ધર્મ પાયે હેવા છતાં અનાર્યભૂમિમાં વસતા મારા આદ્રકુમાર મિત્રને ધર્મ ન પમાડું તે અમારી મિત્રાચારી શા કામની ? એમ વિચારી એકવાર અભયકુમારે એક પેટીમાં તેને ધર્મના ઉપકરણો મેકલ્યાં અને તે પેટી એકાંતમાં ઉઘાડી જોવાનું કહ્યું. આદ્રકુમારે તે પ્રમાણે એકાન્તમાં પેટી ઉધાડી ધર્મ ઉપકરણો જોયાં, આશ્ચર્ય સાથે તે સંબંધી વિચાર કરતાં તેને યાદ આવ્યું કે પૂર્વે મેં આવી વસ્તુઓ જેઈ છે.” વિશેષ ચિંત્વન કરતાં આદ્રકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે વડે તેણે પિતાના પૂર્વભવનું મુનિ સ્વરૂપ જોયું. આથી તેણે અભયકુમાર પાસે જવાની પિતા પાસે
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy