SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ પાસે દ્રવ્ય આપી એકઠાં કરાવતા, અને માંસ વગેરે ખરીદતા હતા. પછી તે કસાઈ તે જાનવરેને કાપી તેનાં માંસને કઢાઈમાં તળીને, અગ્નિપર સેકીને બજારમાં વેચવા નીકળતા અને પેાતાની આવિકા ચલાવતા. એવી રીતે તે સાતસેા વર્ષનું આયુષ્ય ભાગવી મરીને ચેાથી નરકમાં ઉ×ન્ન થયા. ત્યાંથી નીકળીને તેણે સુભદ્રશાહુકારને ત્યાં જન્મ લીધા. સગડ ઉમર લાયક થતાં તેના માતા પિતા મરી ગયાં. સગડ ધીમે ધીમે દુðસની બન્યા. ચારી, જુગાર, વ્યભિચાર આદિ દુષ્ટ વ્યસનેાનું સેવન કરવા લાગ્યા. સમય જતાં તે સુદના નામની ગણિકાના પ્રેમમાં પડયા. આ વાતની પ્રધાનને ખબર પડી, તેથી તેને ત્યાંથી હાંકી કાઢયા અને પ્રધાને તે વેશ્યાને પેાતાના જનાનામાં રાખી. સગડ હડધૂત બનવાથી અહિં ત િભટકવા લાગ્યા. તેને કાંઈ ચેન પડયું નહિ. તેથી મેાહને વશ થઈ તે વેશ્યાને ત્યાં જવાના લાગ શાધવા લાગ્યા. એકદા તે લાગ સાધીને વેશ્યાના ઘરમાં પેસી ગયા. તેવામાં પ્રધાન ત્યાં આવી પહોંચ્યા અને આ સગડને વેશ્યા સાથે રમણ કરતા દેખીને તેને ખૂબ માર્યાં, તથા માણસા મારફત પકડીને બાંધ્યા. પ્રધાને રાજાને વાત કરી. રાજા પણ ક્રાધે ભરાયા તેથી તેને આકરામાં આકરી શિક્ષા કરવાનું પ્રધાનને સૂચવ્યું.' તે પરથી પ્રધાને ઉપર પ્રમાણે તેને શિક્ષા કરી હતી. શ્રી ગૈાતમને સગડનું પશ્ચાત્ જીવન જાણવાની ઈચ્છા હોવાથી પ્રભુએ કહ્યું:–સગડ ૫૭ વર્ષનું આયુષ્ય ભાગવી આજ ત્રીજા પહોરે લાખંડની ખળતી ભઠ્ઠીમાં હેાભાઈ ને મરણ પામશે અને પહેલી નરકમાં જશે. ત્યાંથી નીકળી રાજગૃહનગરમાં ચંડાળને ત્યાં એક બેડલું ઉસન્ન થશે. તેમાં તે પુત્ર રૂપે જન્મશે. પુત્રનું નામ સગડ અને પુત્રીનું નામ સુદના રાખશે. સુદ નાનું રૂપ દેખીને સગડ મૂતિ થશે અને તે પેાતાની બહેનની સાથે ભાગ ભાગવશે. એ રીતે તે મહાન પાપ કને સેવશે. ત્યાંથી અનંત સંસાર પરિભ્રમણ કરશે. આખરે તે મનુષ્યભવમાં આવો ક રહિત થશે. ૨૦
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy