SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ કૈવલ્યજ્ઞાન થયું. આ વખતે ચંદનબાળાની પથારી પાસેથી સપ જતા હતા, તે મૃગાવતીએ પિતાનાં દિવ્ય જ્ઞાન વડે જે, તેથી તેમણે ચંદનબાળાને હાથ ઉંચે કર્યો. આથી ચંદનબાળાએ જાગૃત થઈ તેમ કરવાનું કારણ પૂછયું: મૃગાવતીએ કહ્યું. આપની પથારી પાસે સર્પ હતે. ચંદનબાળા બોલ્યાઃ હમે આ અંધારી રાત્રે કેમ જાણ્યું? મૃગાવતીએ વિવેકપૂર્વક જવાબ આપે. મહાસતીજી, મહને આપના પ્રતાપે કેવળજ્ઞાન થયું છે. આ સાંભળી ચંદનબાળા ચમક્યા અને વિચારવા લાગ્યા કે અહે, મેં કેવળીની આશાતના કરી. એમ ચિંતવતાં ચંદનબાળાને પણ કૈવલ્યજ્ઞાન થયું. કેટલોક સમય કૈવલ્ય પ્રવજ્યમાં ગાળી મૃગાવતી મોક્ષમાં ગયા. ૧૮૪ મેઘકુમાર. સૌંદર્યસમી રાજગૃહી નગરીને મહારાજા શ્રેણિક એક દિવસે સવારમાં પિતાના રાજ્યભવનમાં સિંહાસન પર અત્યંત શોક સાગરમાં બેઠે હતો. તેની મુખમુદ્રા નિસ્તેજ જણાતી હતી. અને તે કઈ મહાન કાર્ય પૂર્ણ કરવાના અને રથમાં મગ્ન હતો. તે સમયે અભયકુમાર નામને મહાબુદ્ધિશાળી મંત્રી અને સુપુત્ર નિત્યનિયમ પ્રમાણે પિતાશ્રીના પાયવંદન કરવા આવ્યા. શોકમાં ગરકાવ થયેલા મહારાજાએ કુમારનો સત્કાર ન કર્યો. બુદ્ધિવાન કુમારે પિતાશ્રીની શોકજન્ય દશા નિહાળી અતિ નમ્રતાથી ઉદાસીનતાનું કારણ પૂછયું અને પોતાની અલ્પમતિ અનુસાર ઈષ્ટ કાર્ય સિદ્ધ કરવાનું વચન આપ્યું. મહારાજા શ્રેણિકે સર્વ વાત નિવેદન કરી. તે ચિંતા શાની હતી? અભયકુમારની નાની માતા ધારિણી દેવીને ગર્ભાવસ્થામાં અકાળે મેઘ વરસ જેવાની ઉત્કટ ઇચ્છા થઈ હતી, અને તે ઈચ્છા પૂર્ણ કરવા ચિંતાતુર હતી. અહર્નિશ આતધ્યાન ધ્યાતી, દિવસે દિવસે તે ક્ષીણ થતી જતી હતી. આ વાતની
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy