SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ અશોક ઉદ્યાનમાં આવી આર્તધ્યાન ધરતા બેઠા છે, તેની પુંડરિકને ખબર પડી, તેથી તેઓ અંતઃપુર સહિત કુંડરિક પાસે આવ્યા અને બોલ્યા. અહે મહભાગી મુનિ, આપને ધન્ય છે કે આપ દીક્ષા લઈને આત્મકલ્યાણ કરે છે, હું તે અભાગ્યવાન છું, પાપી છું કે મારાથી દીક્ષા લઈ શકાતી નથી. ઉપરના કથનને કુંડરિકે આદર ન આપ્યો અને વિચારમગ્ન દશામાં રહ્યા. પુંડરિકે મનેભાવ જાણવા પુનઃ પ્રશ્ન કર્યો –ત્યારે શું આપ ભેગોની ઈચ્છા રાખે છો? કંડરિકે જવાબ આપ્યો –હા, મારે ભેગેની ઈચ્છા છે. પુંડરિકે તરત કૌટુંબિક પુરૂષને બોલાવી કુંડરિકને રાજ્યાભિષેક કરાવ્યો અને તેમને રાજ્યાસને બેસાડયા; તે પછી પુંડરિકે પિતાનો પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને સ્વયમેવ દીક્ષા લીધી. અને જ્યાં સુધી ધર્મઘોષ સ્થવર ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી આહાર નહિ લેવાનો નિયમ કરી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. આ તરફ કુંડરિક રાજાને, કામોત્પાદક વસ્તુઓનો આહાર કરવાથી એકદમ તે વસ્તુ પચી નહિ. પરિણામે ઉગ્ર વેદના ઉત્પન્ન થઈ. ખૂબ પીડા પામીને ભયંકર વ્યાધિમાં તે મૃત્યુને શરણ થયે, અને મરીને તે સાતમી નરકમાં ગયો. પુંડરિક સ્થવર ભગવાનને મળ્યા, વંદન કર્યું, અને તેમની સાથે તપસંયમમાં વિચારવા લાગ્યા. અરસ નિરસ આહાર પુંડરિકને પણ પચ્યો નહિ. તેથી તેના શરીરમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ અને શરીર નિર્બળ થવા લાગ્યું. તેથી તેમણે પંચ પરમેષ્ટિનું સ્મરણ કરી, ધર્માચાર્યને વંદન કરી સંખના કરી. પરિણામે કાળને અવસરે કાળ કરીને તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મોક્ષમાં જશે.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy