SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ २०० ચિંત્વન કરતાં શુભ પરિણામના યાગથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેને પૂર્વભવ જાણ્યા. મહાવીર ભગવાને આપેલા ખેાધ, અને લીધેલાં વ્રત તેને યાદ આવ્યાં અને પેાતે મિથ્યાત્વી થયા હતા તેને માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આ વખતે તેણે અભિગ્રહ કર્યો કે જીવન પર્યંત છઠે છઠના પારણા કરવાં, અને પારણાને દિવસે વાવમાં લોકોએ ખરાબ કરેલું પાણી ( નિર્દોષ) અને તેમના શરીરને મેલ લઈને નિર્વાહ કરવા. (ધન્ય છે, તિર્યંચ જેવું પ્રાણી, સમજણ આવતાં કેવું કિઠન કાર્ય કરે છે!) આવી રીતે તે જીવન વીતાવવા લાગ્યા. એકદા પ્રભુ મહાવીર તેજ નગરીમાં સમેાસર્યાં. પ્રભુ પધાર્યાંની વાત દેડકાએ નગરજનો પાસેથી વાવ પાસે સાંભળી. શ્રેણિક રાજા ચતુરંગી સેના સાથે પ્રભુના દર્શન કરવા નીકળ્યા. આ તરફ દેડકાને પણ પ્રભુના દર્શનની પરમ જીજ્ઞાસા થઈ. તે પણ નીકળ્યા. રસ્તે જતાં રાજાના કોઈ અશ્વના પગ તળે તે દેડકા કચરાયા. તેથી તે એકાંતમાં જઈ અરિહંત, ધર્માચાર્ય પ્રભુ મહાવીરનું સ્મરણ કરી નમસ્કાર કરવા લાગ્યા અને ત્યાંજ સંથારા કરી ઉચ્ચતમ ભાવના ભાવવા લાગ્યા. ત્યાંથી તે સમાધિમરણે કાળ કરી પહેલા સૌધમ દેવલાકમાં દર નામે દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં તે મેાક્ષ જશે. ૧૪૪ નંદિનીપિતા શ્રાવસ્તિનગરીમાં નંદિનીપિતા નામે મહાઋદ્ધિવંત ગાથાપતિ હતા, તેને અશ્વિની નામે સુશીલ અને સુસ્વરૂપવાન સ્ત્રી હતી. એકદા પ્રભુ મહા– વીર પધાર્યાં. નંદિનીપિતા વંદન કરવા ગયા, અને પ્રભુના ઉપદેશથી ધખાધ પામી ખારવ્રતધારી શ્રાવક થયા. ૧૫ વ શ્રાવકપણામાં ઘેર રહ્યા પછી તેમને પ્રતિમા અંગીકાર કરી, વિચરવાની ઈચ્છા થઈ. તેથી તેઓ ધરના સઘળા કારભાર જ્યેષ્ઠ પુત્રને સોંપી સંસારકા માંથી તદન જ
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy