SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ગમતાં સુખ ભોગવો. તમને યુગબાહુ તરફથી જોઈએ તેવું સુખ મળતું નથી. આ ઉપથી મદનરેખા તરત મણીરથનો દુષ્ટ ભાવ સમજી ગઈ. તેણે દાસીને જણાવી દીધું કે જા, લુચ્ચી, અહિંથી જદી ચાલી જા. નહિત અહિંજ હું તારા શરીરની દુર્દશા કરી નાખીશ. ફરી આવી વાત મારી પાસે કરી છે તો અહિંથી તું જીવતી જવા નહિ પામે. દાસી ત્યાંથી નાસી છુટી અને સઘળી વાત મણરથને કરી. મણીરથે વિચાર્યું કે જ્યાં સુધી યુગબાહુ જીવતો છે, ત્યાં સુધી તે મારી સાથે નેહ નહિ કરે. એમ ધારી તે યુગબાહુને મારી નાખવાની તક શોધવા લાગ્યો. સાંજનો સમય હતો. યુગબાહુ અને મદનરેખા ફરવા માટે બગીચામાં આવ્યા હતા. ખુશનુમા પવનની લહેર આવતી હતી. યુગબાહુ આરામ લેવા એક બાંકડા પર સૂતો. મદનરેખા સુગંધીદાર પુષ્પો બાગમાં ચુંટતી હતી. તે વખતે મણીરથ હાથમાં તરવાર લઈને ધીમે પગલે બગીચામાં દાખલ થયો. અને પાછળથી આવી તેણે પિતાની તરવાર મ્યાનમાંથી કાઢી યુગબાહુના ગળા પર ચલાવી દીધી. યુગબાહુ કારમી ચીસ પાડી બેહેશ બની ગયો. આ ભયંકર ચીસ સાંભળી મદનરેખા યુગબાહુ પાસે દેડી આવે, તે પહેલાં જ ભગીરથ પૂર વેગે દોડતો ત્યાંથી પસાર થઈ ગયો. અંધકારના આછા પ્રકાશમાં મદનરેખાએ મણીરથને ઓળખે. તે સમજી કે આ દુષ્ટ હારી સાથે સ્નેહ બાંધવા આ ભયંકર કૃત્ય કર્યું છે. ખેર ! પણ હારે હવે હારા પતિની સગતિ થાય તેમ કરવું જોઈએ. એમ ધારી મદન રેખાએ છેલ્લા શ્વાસ લેતાં યુગબાહુના હૃદયમાં ધર્મનું શરણું આપ્યું. થોડીવારે યુગબાહુ મૃત્યુ પામ્યો અને શુભસ્યાના પરિણામે તે દેવલોકમાં ગયે. અહિં મદનરેખાએ વિચાર કર્યો કે હવે મહારું શું થશે? દુષ્ટ મણીરથ મહારાપર બળાત્કાર કરશે અને મહારું શિયળ ખંડિત કરશે. માટે હારે તેના રાજ્યમાં રહેવું ઉચિત નથી. એમ ધારી તે મનમાં ધૈર્ય ધારણ
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy