SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ જાણી, તેથી ક્રોધાતુર બનીને તેમણે નાગશ્રીને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી. રસ્તામાં પણ ઘણા લોકો તેને ખીજવતાં, મારતાં, અને ધિક્કારતાં હતાં. ક્યાંઈ તેને આશ્રય ન ભ. જ્યાં ત્યાં તે ભટકવા લાગી. તેને સોળ રોગ ઉત્પન્ન થયા. તે મહાવેદનાના પરિણામે મૃત્યુ પામી, અને મરીને છઠી નરકમાં ગઈ ત્યાંથી નીકળી અનેક તિર્યંચ નરકના ભવ કરતી તે ચંપાનગરમાં સાગરદત્ત સાર્થવાહને ત્યાં પુત્રીપણે અવતરી. તેનું સુકુમારીકા નામ પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વીતાવી તેણે યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. પછી તેને તેજ નગરીમાં છનદત્ત શેઠના સાગર નામનાં પુત્ર સાથે પરણાવી. સુકુમારીકાના શરીરમાં પાપના ઉદયે અગ્નિજ્વર હતો. એટલે કે ઈ માણસ તેને અડકે તે અગ્નિની માફક તે દાઝે. તેના શરીરને સ્પર્શ માત્ર તરવારની ધાર સમાન લાગે. સાગરપુત્ર સુકુમારીકાનો સ્પર્શ કરવા જતાં દાઝ. તેથી ભય પા, અને સુકુમારીકાને છેડી તેજ રાત્રીએ ઘરમાંથી ચાલી ગયે. આ વાતની જનદત્ત શેઠને તથા ઘણાને ખબર પડી. સાગરદત્ત સાર્થવાહે વાત જાણી તેથી પિતાની પુત્રીને ઘેર લાવ્યો અને બીજે પરણાવવાનો વિચાર કર્યો. તેવામાં એક ભટકતો ભીખારી સાર્થવાહે જે, તેથી તેને બોલાવી માન પાન આપી જમાડે. સુંદર વસ્ત્રાભુષણે પહેરાવી સુકુમારીકા સાથે તેના લગ્ન કર્યા. લગ્નની પહેલી રાત્રીએ તે દરિદ્રી સુકુમારીકા પાસે જતાં, તે પણ દાઝ અને વેદના પામ્યો.. તેથી તે પણ ત્યાંથી નાસી પલાયન કરી ગયે. સુકુમારીકા હવે પોતાના કર્મને પશ્ચાત્તાપ કરવા લાગી. તેવામાં ગોવાલિકા નામના સાધ્વીજી હેને ત્યાં પધાર્યા. સાધ્વીજીએ ઉપદેશ આપ્યા. સુકુમારીકાને વૈરાગ્ય થ અને પિતાની આજ્ઞા લઈને તેણીએ. દીક્ષા લીધી. એક્વખત નગરીની બહાર ઉદ્યાનની પાસે છઠ છઠને તપ કરી આતાપના લેવાનો વિચાર તેણે સાધ્વીજી પાસે જાહેર કર્યો.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy