SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ કુબેર સાથે જુગાર રમ્યા, પરિણામે નળને રાજ્યપાટ હારીને વનમાં જઈ રહેવું પડયું. સતી દમયંતી તેમની સાથે વનમાં આવી અને ત્યાં અનેક સંકટો સહ્યાં. પારધી, વ્યાપારી, વ્યાઘ્ર આદિ અનેકના ત્રાસદાયક પંજામાંથી ખચી, શિયળનું રક્ષણ કરી તે અચળપુરમાં ઋતુપણ રાજાને ત્યાં પેાતાની માસીને ધેર આવી. ત્યાં પણ કર્મોવશાત્ તેના પર હાર ચાર્યાંના આરાપ આવ્યા. સતીના શિયળ પ્રભાવે હાર જડયો અને તેની માસીને આ આરેાપ બદલ પશ્ચાત્તાપ થયેા. આખરે પેાતાના પિતા ભીમકરાજાના માણસાની સાથે તે પિતાના રાજ્યમાં ગઈ. ત્યાં નળના મેળાપ માટે ફ્રી સ્વયંવર મંડપની કૃત્રિમ ચેાજના કરી. કુબડા સ્વરુપે નળરાજા સ્વયંવર મંડપમાં હાજર થયા. અને મળ્યા. અને અત્યંત આનંદ થયેા. વનવાસ કાળ પૂરા થયે નળ તથા દમયંતી પેાતાના રાજ્યમાં ગયા. રાજ્ય પ્રાપ્ત થયું. મનુષ્ય સંબંધી સુખ ભાગવતાં આખરે દમયંતીને વૈરાગ્ય થયા; અને તેણે દીક્ષા લીધી.વ્રત નિયમાનું સુંદર પાલન કરી, યથાસમયે કાળધમ પામી દમયંતી દેવલાકમાં ગઈ. તે મહાસતી તરિકે જગપ્રસિદ્ધ બની. ૧૨૩ દશરથરાજો. તેએ અયેાધ્યા નગરીના અજરાજાના પુત્ર હતા. તેમને કૌશલ્યા, સુમિત્રા, અને કૈકેયી એ ત્રણ રાણીઓ હતી. તેમાં કૌશત્યાથી રામ, ( પદ્મ ) સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન, તથા કૈકેયીથી ભરત એમ ચાર પુત્રા થયા. પેાતે વૃદ્ધ થવાથી રામને ગાદી આપી દીક્ષા લેવાને વિચાર કર્યાં, આથી પ્રજાવ તથા અંતઃપુરમાં આનંદ થયા, પરન્તુ કૈકેયીને મનમાં અદેખાઈ આવી, તેથી તેણે અગાઉ મળેલાં વચનના દુરૂપયાગ કરી · રામને વનવાસ અને ભરતને રાજ્ય ' એ પ્રકારની માગણી કરી, સત્યવાદી પુરુષા જીવન કરતાં વચનની કિંમત વધારે ગણે છે, ' એ મુજબ દુ:ખીત મને
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy