SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ અને શૂળી ઉપર એક માણસને ચઢેલે જોઈને આ બંને ભયભિત થયા. પેલા માણસને કારણ પૂછયું ત્યારે તેણે કહ્યું કે આ વધસ્થાન રત્નદીપા નામની દેવીનું છે. હું કાકંડી નગરીનો એક ઘોડાનો વેપારી છું. લવણસમુદ્રમાં મુસાફરી કરતાં વહાણ ભાંગવાથી એક પાટીયાને આધારે આ દ્વીપમાં આવ્યો. અહિં મને આ દેવી લઈ ગઈ અને એક અલ્પ અપરાધને ખાતર તે દેવીએ મહારી આ દુર્દશા કરી છે ! આ સાંભળી તેઓ બંને વધારે ભયભીત થયા અને દેવીના પંજામાંથી છૂટવાનો તેમણે વિચાર કર્યો. છૂટવાનું કારણ પૂછતાં, પેલા શુળી પર ચડેલા પુરુષે કહ્યું કે પૂર્વ દિશાના ખંડમાં શેલગ નામના યક્ષનું મંદિર છે. તેની પૂજા કરશો તો તમે છૂટશે. તે મુજબ તેઓએ કર્યું, પરિણામે શેલગ યક્ષ પ્રસન્ન થયો, અને તેઓને પોતાની પીઠ પર બેસાડી લવણ સમુદ્રમાં થઈ ચંપાનગરી તરફ ચાલ્યો. હવે પેલી રત્નદીપા દેવી બહાર ફરીને ઘેર આવી. ત્યાં પેલા બે પુત્રોને જોયા નહી. તેથી તે ચારે દિશાના વનખંડમાં જઈ આવી, પણ કયાઈ તેમને પત્તો લાગ્યો નહી. તેથી અવધિજ્ઞાન મૂકી જોયું તો તેમને શેલગ યક્ષની પીઠ પર બેસીને લવણસમુદ્રમાં જતાં જોયા, તેથી કોપાયમાન થઈ હાથમાં તરવાર લઈ શીધ્રગતિથી દોડતી તે કુમારે પાસે આવી પહોંચી. પ્રથમ તો તેણે તે બંનેને મૃત્યુનો ભય દેખાડવા લાગી. પણ યક્ષના વચન મુજબ તેમાંના કેઈએ તેણીના સામું જોયું નહી, પછી બંને જણા પ્રત્યે તે દેવી હાવભાવ કરતી, શોક વિલાપ કરતી કરુણ સ્વરે પિતાની પાસે આવવા વિનવવા લાગી. આથી જનરક્ષનું મન ચલિત થયું. આ વાત યક્ષના જાણવામાં આવવાથી તેણે નરક્ષને છોડી દીધો. રત્નદીપા જનરક્ષને ગ્રહણ કરીને બોલી – દાસ, હવે તું મૃત્યુના મુખમાં આવ્યો છે. એમ કહી તેને ઉપાડી આકાશમાં ઉછાળ્યો અને પછી તેના શરીરના ટુકડે ટુકડા કરી મારી નાખ્યો. બીજી બાજુ જીનપાળ ડગ્યો નહી, તેથી યક્ષે તેને ચંપા નગરીમાં
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy