SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ દેશના આપી. બંને પ્રતિબંધ પામ્યા અને દીક્ષા લીધી. ઘણા વર્ષ સંયમ પાળી, તપ જપ ધ્યાન ધરી, સંથારે કરી નિર્વાણ પદને પામ્યા. ન્યાય–મિથ્યાત્વથી જેનું મન મુગ્ધ બન્યું છે તેવા પાપમાં પડેલા છે, ગુણરહિત હોવા છતાં સદ્દગુરૂના પસાયથી ખાઈના પાણીની જેમ ગુણવાળા થાય છે. ૧૦૯ જિતશત્રુ. પંચાલ દેશના કાંપિલ્યપુર નગરને તે રાજા હતા. તે પૂર્વભવમાં અભિચંદ નામે મહાબળનો મિત્ર હતો. તેણે મહાબળ સાથે દીક્ષા લઈ સખ્ત તપ સંયમનું પાલન કર્યું, પરિણામે તે જયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયો. ત્યાંથી ચ્યવી જિતશત્રુ નામે રાજા થયો. તેના દરબારમાં એકવાર “ચોખા” નામની એક પરિત્રાજિકા આવી. તે પરિવાજિક મિથિલા નગરીમાં રહેતી અને લોકોને પિતાના મતને ઉપદેશ આપતી. એક વાર તેણએ મિથિલાના અંતઃપુરમાં પ્રવેશ કરીને મલ્લીકુંવરીને પિતાના મતનો બેધ આપો. મલ્લીકુંવરીએ તેને પૂછયું કે તમારે ધર્મ શો છે ? જવાબમાં તેણીએ પિતાનો ધર્મ સંભળાવ્યો. (જે શુકદેવ પરિવ્રાજકે થાવગ્ગાપુત્રને કહ્યો હતો તે પ્રમાણે) આથી મલીકુંવરીએ તેના ધર્મનું પોકળ પણું બતાવી વિનયમૂળ ધર્મ કહ્યો. પરિત્રાજિકા નિરુત્તર રહી એટલે મલીકુંવરીની દાસીઓએ તેને ધુત્કારીને કાઢી મૂકી. આથી કોપાયમાન થઈને તે પરિવારિકા જિતશત્રુ રાજાના અંતઃપુરમાં આવી અને ત્યાં પોતાને શૌચમૂળ ધર્મ સંભળાવ્યો. જિતશત્રુ રાજાને પિતાની સ્ત્રીઓના રૂપ સૌંદર્યનું અભિમાન હતું, તેથી તેણે તે પરિવારિકાને પૂછયું કે મારા જેવું અંતઃપુર હમે કયાંઈ જોયું ? આથી વૈર વાળવાને ઉત્સુક બનેલી તે પરિવાજિકાએ કહ્યું –રાજન, મિથિલા નરેશ કુંભરાજાની પુત્રી મલીકુંવરીના રૂપ સૌંદર્ય આગળ હા અંત:પુર પાણું ભરે છે. એમ કહી તેણીએ મલીકુંવરીના અથાગ રૂપનું
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy