SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક વ્યાખ્યાન છે કેમ કશું ? તે જીવ જ્યાં સુધી યાગમાં પ્રવતેલા છે ત્યાંસુધી બધ છે અને તેથી સયાગીપણામાં યોગની પ્રવૃત્તિ છે અને બંધ પણ છે. તેથી જે જે સમયે જે જે ભાવમાં પ્રવર્તે તે તે સમયે બધે વિગેરે, જમાલી સવ ખાદ્ય અનુષ્ટાતાને કરતા. પચસમિતિ અને ત્રણ ગુપ્તિને પણુ આચરતા હતા, છતાં માને અનુસરવાનુ તેનામાં ન્હોતુ, માટે કહે છે કે તાત્ત્વિક માની અંદર આવીને તેને જ અનુસરે તે જ પંડિત. એટલે રિયાસમિતિ આદિ કે ત્યાગાદિ ન પણ હોય તે પણ માનવામાં વાંધો નથી. જેમ એક સાધુ નદીમાં ઉતરે, બીજો કાંઠે છે, બન્નેમાં ઉતરે છે તે સયમ પાલનની દૃષ્ટિમાં છે. અને કાંટાવાળા પણ તેવા છે. જે તત્ત્વદષ્ટિવાળા છે તે વિચારે કે માર્ગોમાં છે અને તેથી તે પંડિત ગણાય. ७२ ધર્મની સ્વરૂપથી પરીક્ષા પ્રથમ ત્રણેને અંગે બબ્બે નિયા કર્યા હતા. લિંગમાત્રને દેખવાવાળા બાળક, વિચારવાળા મધ્યમ બુદ્ધિ, તત્ત્વને તપાસે તે બુધ. આવી રીતે પરીક્ષ્ય અને પરીક્ષા દ્વારાએ વિભાગ કર્યા હતા તેમ અહિ સ્વરૂપ દ્વારાએ નિર્ણય કર્યા છે. એટલે દેખવું, વિચાર અને માની તપાસ. એ ત્રણવાળાનું બાલ, મધ્યમ અને બુધનું સ્વરૂપ જણાવ્યુ છતાં આને બાલક કેમ કહેવા ? જેમ એક મનુષ્ય કસહારા, તાલદ્વારા કે અગ્નિદ્વારા પારખે તે પણ સાનુ` કહેવાય તેમ બાલક સયેાગદ્વારા પારખી દેવગુરુધર્મની તપાસ કરે. તેમ મધ્યમ અને બુધ બીજી રીતિએ પારખીને દેવગુરુની તપાસ કરે, પણ તે બધાને છેવટમાં સાધ્ય દેવ, ગુરુ અને ધર્મની સાધનાને ! કોઈ ચાલીને, કોઇ ધેડા ઉપર કે ગાડીમાં આવ્યા તે બધાનું સાધ્ય મકાનમાં જવું તે. તેમ અહિં ત્રણમાં કરક શો ? આટલું પિંજણ કેમ ? આવી પંચાતથી શું કામ છે ? રોટલા થયા એટલે બસ. ટપટપથી મતલબ શી ? દેવગુરુ કે ધર્મની પ્રાપ્તિ થાય એટલે બસ. બીજી પંચાત કરીને કામ શું ? વાત ખરી. દેવગુરુ અને ધર્મની પરીક્ષા ઉપર જ તત્ત્વ છે પણ જે પરીક્ષા કરવાની દૃષ્ટિ
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy