SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ એકાવનમું ] અધ્યયન : સમ્યક્ત્વ ૨૬૬ મનાય તે પછી સાચી માન્યતા ન થવા દેવી એ પણ આત્માના ગુણનું રોકાણ છે. જ્ઞાન એ આત્માને ગુણ છે અને તે જ્ઞાન ન થાય તે કર્મને દોષ ગણાય, તેમ અહીં પણ સાચી માન્યતા ન થાય તે કર્મને જ દોષ છે, આપણે રીતસર ખોરાક લેતા હોઈએ, હવાની અનુકૂળતા છતાં ખોરાક પચે નહિ ત્યારે જઠરાને દોષ જ કહેવે પડે. તેમ અહીં પણ સાચી માન્યતા આત્મીય ગુણ છે અને તે ન થાય તે તે કર્મને દોષ છે એમ માનવું પડે. રસોળી અને ગૂમડું થાય ત્યારની દશા સામાન્ય નિયમ છે કે રસોળી થઈ હોય તે પછી ખાનારને એમ નથી થતું કે હું આ ખોરાક લઉં છું તેનું પરૂ થાય. રસીને વિંધી લગાડીને બંધ ન કરાય ત્યાં સુધી ખોરાકનો રસ્તો જરૂર પાક તરફ જશે જ. થયેલ વિકાર પિતાને હિસ્સે વગર ઈચ્છાએ લીધા વિના રહે જ નહિ. જેમ રળી કે ગૂમડું પાતાની મેળે તમારી અનિચ્છાએ પણ પિતાને ભાગ લે છે તેમ અહીં સાચી માન્યતા માનવા અંગે તમારા આત્મામાં જ્યારે વિકાર થાય તેથી એ ખોટી માન્યતાને રોકવાને વિકાર પણ થાય. ખોટી માન્યતા ન થવી તે પાપરૂપી વિકારોને નેતરું દેનાર, તેથી આગળ ચાલીએ ત્યારે લોકસ્થિતિ અને ધાર્મિક સ્થિતિ એ બંનેમાં આંતરું. લોક સ્થિતિ ધાર્મિક સ્થિતિ, પરમ ધાર્મિક સ્થિતિ લોકસ્થિતિમાં કરે તે ગુનેગાર જેમ ચોરી કરનારને પકડાબે તેમાં ગુનેગાર તે ચેર જ. તેને ન પકડ્યા હોય તો ચરનું આખું કુટુંબ તે ચોરીને માલ ખાય, પણ પકડાય ત્યારે દંડાય ચેર જ. લોકDિતિમાં ફળ ભોગવનારને કે અનુમોદનારને કોઈ ગુનેગાર ગણતું નથી. ધાર્મિક સ્થિતિમાં કરનાર, કરાવનાર અને યાવત્ અનુમોદનાર એટલે વખાણનાર પણ ગુનેગાર. આ સામાન્ય ધાર્મિક સ્થિતિ. પરમ ધાર્મિક સ્થિતિએ વિચારીએ તો રાજીનામું આપે નહિં. ત્યાં સુધી ગુનેગાર
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy