SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના ૧૧ એ માટે ભાવમંગલની આચરણા કરી રહ્યા છે. આ પાંચમા અંગસૂત્રની ટીકાની રચના કરવા પૂર્વે, આ મહર્ષિએ, શ્રી ઠાણાંગ સૂત્ર નામના ત્રીજા અંગસૂત્રની તેમ જ શ્રી સમવાયાંગ સૂત્ર નામના ચેાથા અંગસૂત્રની–એમ એ સૂત્રેાની એ ટીકાઓની રચના કરેલી છે. એ બન્ને ય ટીકાઓની આદિમાં પણ, આ મહર્ષિએ ભાવમંગલની આચરણા કરેલી જ છે. એ અન્ને ય ટીકાઓની આદિમાં ભાવમંગલની આચરણા કરેલી હાવા છતાં પણ, આ મહર્ષિ અહીં ત્રીજી ટીકાની આદિમાં પણ મંગલની આચરણા કરે છે. શાથી ? ખાર અંગસૂત્રા પૈકીના ત્રીજા અંગસૂત્રથી તે અગીઆરમા અંગસૂત્ર સુધીનાં સૂત્રાની–એમ કુલ નવ અંગસૂત્રેાની નવ ટીકાઓની રચના કરવાને માટે તેઓશ્રી પ્રવૃત્ત થયા છે, તેા એકલા ત્રીજા જ અંગસૂત્રની ટીકાની આદિમાં ભાવમંગલની આચરણા કરીને, પછી કેઈ અંગસૂત્રની ટીકાની આદિમાં ભાવમંગલની આચરણા કરી ન હેાત તે ન ચાલત ? જેને ચલાવ્યે જ રાખવું હાય, તે તેા ગમે તેમ ચલાવ્યે રાખે, પણ આ તે મહિષ છે. સમજે છે કે અંગસૂત્ર તે અદલાયું ને ? વળી, એ મહાપુરૂષને ભાવમંગલની આચરણાના કેટલા બધા રસ હતા, તે પશુ આ ઉપરથી આપણે કલ્પી શકીએ છીએ. નવની જ રચના કેમ કરી ? આ મહાપુરૂષે નવ અંગસૂત્રાની જ ટીકાઓની રચના શા માટે કરી, તે તે આપણે વિચારી આવ્યા છીએ. આ મહાપુરૂષે જે વખતે આ નવ અંગસૂત્રેાની ટીકાઓની રચના કરી, તે વખતે શ્રી આચારાંગ સૂત્ર નામના પ્રથમ અંગસૂત્ર
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy