SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આશય કેવા પ્રકાર છે, તેનું અહીં આપણે સ્પષ્ટીકરણ કર્યું. અંબાડી વિગેરેથી મંડિત પણ સમુન્નત” વિશેષણથી એ વાત પણ વિશેષમાં લઈ શકાય કે--અહીં જે જયકુંજરને ઘટાડે છે, તે જ્યકુંજર જંગલમાં રખડતી અવસ્થાવાળો નથી, પણ મહારાજાના મનેરોને પૂર્ણ કરનારા તરીકે રહેલો છે તેમ જ તેના ઉપર મૂકાએલી અંબાડીથી વિશેષ સુભિત બનેલો છે. એક તો જયકુંજર, એમાં ય ભર યુવાવસ્થાવાળે અને અંબાડી વિગેરેથી મંડિત, પછી એના સામર્થ્યમાં ને એની શોભામાં કમીના શી રહે? માટે એ જયકુંજર કે ? તે કે–સમુન્નત ! શેભે, શોભા આપે ને જય અપાવે ભર યુવાવસ્થામાં રહેલ જયકુંજર જેમ આંગણે બાંધે ય શોભે છે, એના ઉપર અંબાડી મૂકીને આરૂઢ થવાથી પણ શેભાપાત્ર બનાવે છે અને શત્રુઓની સામે એનો ઉપયોગ કરીએ તો જય અપાવે છે, જય જ અપાવે છે, જય અપાવે ' જ છે; તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ જ્યાં રહ્યું હોય ત્યાં શેભે છે, એના દર્શન માત્રથી પણ દર્શકને શોભા દે છે અને જે આ શ્રી ભગવતીજી સૂત્રનો સદુપયેગ કરતાં આવડે, સઘળી ય સ્વારીઓને છોડીને આની જ માત્ર ભાવસ્વારીએ આત્મા ચઢે, તે આ શ્રી ભગવતીજી સૂત્ર આ લેકમાં પણ જય અપાવે છે, પરલોકમાં પણ જય અપાવે છે અને પરંપરાએ સદાને માટે જયવન્તા બનાવી દે છે.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy