SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- ૧૦૧ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના એવાં હસ્તિરને દુર્લભ જ બની ગયાં છે અને યુદ્ધની પદ્ધતિ પણ ફરી ગઈ છે. આગળનું યુદ્ધ, યુદ્ધ કરનારના પિતાના સત્ત્વનું ઘાતક બનતું હતું. આગળના યુદ્ધમાં યુદ્ધ કરનારાઓને હાનિ આદિ થાય—એ જુદી વાત છે, પણ સામાન્ય પ્રજાને આજે થાય છે તે મારે તેમાં થતું નહિ. આજે તે, યુદ્ધને વ્યુહ ગોઠવનાર એવી સલામત જગ્યાએ એશ-આરામમાં બેઠે હોય છે કે-એને પ્રાયઃ ઉની આંચ પણ આવે નહિ; અને યુદ્ધમાં ઉતરેલાઓ ક્યાં ય હોય અને મરે હજારે નિર્દોષને થત હોય, એવું ય બને છે. બેઓ ફેંકાય ત્યારે કાંઈ માત્ર યુદ્ધમાં ઉતરેલાએ જ મરે? પહેલાંના યુદ્ધમાં તે, નીતિનિયમ પણ ઘણું જળવાતા હતા. એ પ્રકારનું યુદ્ધ હોય કે વર્તમાન પ્રકારનું યુદ્ધ હોય, બન્ને ય પાપનાં જ કારણે છે. વિષયની અને કષાયની આધીનતાનાં એ પણ નાટકે છે. સાચું યુદ્ધ તે, આન્સર રિપુઓની સાથે ખેલવા જેવું છે. પણ જયારે અહીં આ સૂત્રને જયકુંજરની ઉપમા જ આપવામાં આવી છે, તે જ્યકુંજર કે જય અપાવનારે હોય છે, તેને પણ તમને ખ્યાલ આપવો જોઈએ ને? એ માટે આ વાત છે. જયકુંજર ઉપર બેસીને યુદ્ધમાં જનારાએ, જ્યાં સુધી જયકુંજર જીવતો હોય ત્યાં સુધી, કદી પણ હારીને આવતા નહિ અને જયકુંજરને ગમે તેનાથી મારી શકાતો પણ નહિ. સેચનક નામને જ્યકુંજરઃ હલ્લ–વિહલની પાસે જયકુંજર હતો અને જ્યાં સુધી જયકુંજર તેમની પાસે રહ્યો, ત્યાં સુધી મહા પ્રતાપી કૃણિક જે રાજા પણ, તેમને હરાવી શક્યો નહિ કે કબજે કરી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy