SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ -બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના તે કડવી ઝેર જેવી છે. તે એમાં ઝેરની ઉપમા આવી, પરતુ એ ઉપમાની સાથે સંબંધ કેટલો? કડવાશ પૂરતો ! દવા પણ કડવી અને ઝેર પણ કડવું, માટે જ એ ઉપમા ! બાકી ગુણદોષમાં તે મેટ ફરક! દવા માંદાને સાજો કરે અને ઝેર સાજાને પણ માંદે કરીને મારે ! અહીં હાથીની ઉપમા આવા પ્રકારની નથી, પણ આ સૂત્ર એક હાથી સમાન છે, સમુન્નત એવા જયકુંજર સમાન છે, એ પ્રમાણે કહેવાલ છે. એટલે હેજે પ્રશ્ન થાય કે–સમુન્નત જયકુંજરનાં અમુક અમુક અંગો છે, અમુક અમુક ઉપાંગે છે, તો એ બધું શું આ સૂત્રમાં છે? ટીકાકાર મહર્ષિ કહે છે કે-હા, એ બધું ય છે. એટલા માટે તે “સમુન્નતનયા –એમ જણાવીને, જયકુંજરમાં જે જે મહત્ત્વનું હોય છે, તે બધું આ પાંચમા અંગસૂત્રમાં કેવી કેવી રીતિએ ઘટે છે, એ દર્શાવ્યું છે. એ દર્શાવ્યા બાદ, ટીકાકાર મહર્ષિએ, કેવા પ્રકારે નાડિકા રૂપ ટીકા શરૂ કરાય છે, તે પણ કહ્યું છે. જયકુંજરથી પણ જ્ય અપાવવાની જખી શક્તિ આ સૂત્રમાં છેઃ અહીં આપણે પહેલે વિચાર તો એ કરવાને છે કે-આ પંચમાંગ થી ભગવતીજી સૂત્રને સમુન્નત જયકુંજરની સાથે ઘટાવવાનું કારણ શું છે? આ સૂત્રની રચના જય પમાડનારી છે, શીધ્ર જ્ય પમાડનારી છે માટે! જેણે જય મેળવ હેય, તેણે આ સૂત્રને આત્મસાત્ બનાવી લેવું જોઈએ. આ સંસારમાં જય કેને નથી જોઈત? સંસારમાં સૌ જયના અથ છે, પણ જયનું સાધન હાથ લાગવું અને જયના સાધ
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy