SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર કપાલાદિમાં માટીનો અન્વય સામાન્યથી સર્વત્ર સંવેદાય છે, અને દરેકમાં અન્યોન્યની વ્યાવૃત્તિ જણાય છે, કેમકે જેવું મૃત્પિડ દેખાય છે, તેવું શિવકાદિમાં દેખાતું નથી. સર્વત્ર આકાર ભેદનો અનુભવ થાય છે. વળી, જેવો આકારભેદ અને તેનું જ્ઞાન વિજાતીય પાણીઅગ્નિ-પવનાદિમાં થાય છે. તેવો પ્રતિભાસ ભેદ શિવકાદિમાં જ સર્વત્ર મૃદન્વયના સંવેદનથી થતો નથી. અને આ સર્વજન સંવેદ્ય સંવેદનને છુપાવી શકાતું નથી. અન્યથા અતિવ્યાપ્તિ આવે. વળી, આ સંવેદન ભ્રમ છે એમ પણ કહેવું શક્ય નથી. કેમકે, દેશ-કાળ-મનુષ્યોની અવસ્થાન્તરોમાં આવી જ પ્રવૃત્તિ છે. અર્થપદાર્થથી થયેલ યથાર્થ સંવેદન છોડીને જાતિવિકલ્પોથી પદાર્થવ્યવસ્થા ઘટતી નથી તે વિકલ્પો પ્રતિતિ બિંધત હોવાથી અનાદેય છે. એકાન્તનિત્ય વસ્તુઓમાં આવો સંવેદનભાવ ઘટતો નથી. તેમાં ભિન્ન-ભિન્ન આકારના નિબંધનરૂપ ધર્મભેદનો અભાવ છે ભાવેષ્વાન્તનિત્યેવુ નાન્વય-વ્યતિરેવત્ । સંવેલાં મવેદ્ ધર્મમેવામાવાવિત સ્યૂટમ્ ॥ ધર્મભેદનો અભાવ હોવાથી એકાન્ત નિત્યપદાર્થમાં અન્વયવ્યતિરેકની જેમ પ્રગટ સંવેદન ન થાય. ધર્મભેદ માનવામાં એકાન્તનિત્યત્વહાનિનો પ્રસંગ આપવાથી એકાન્તાનિત્ય ભાવોમાં અધિકૃત સંવેદન સંભવ ઘટતો નથી. કેમકે, ત્યાં અનુવૃત્તાકારનિબંધનભૂત દ્રવ્યાન્વયનો અભાવ છે. ાન્તાઽનિત્યમાવેલુ નાન્વયવ્યતિરેવત્ । સંવેલાં ભવેત્ દ્રવ્યસ્યાઽન્વયામાવતો ધ્રુવમ્ ॥ એકાન્ત અનિત્ય પદાર્થોમાં દ્રવ્યનો અન્વય ન હોવાથી અન્વય-વ્યતિરેકની જેમ સાચું સંવેદન થતું નથી. ક્યારેય પણ હેતુ ઉપલબ્ધ ન હોવાથી આ સંવેદનનો બાધકપ્રત્યય ઘટતો નથી, તેથી અન્વય અવિનાભૂત વ્યતિરેક છે. અને વ્યતિરેક અવિનાભૂત અન્વય છે. નાઽન્વયઃ સ ફ્રિ મેત્વાર્ ન મેલોડન્વયવૃત્તિત:। મૃદ્રવ્યમેવમંસર્વવૃત્તિત્યિન્તર ઘટ: ॥ આ સંબંધમાં ઘણું કહેવા જેવું છે પરંતુ અહીં ગ્રંથ વિસ્તારના ભયથી તેમજ અન્ય ગ્રંથોમાં આ વિશે ઘણું કહેલું હોવાથી અમે લખતા નથી. ૨૩૧ શ્રુતની ચતુર્ભગી (૧) સાદિ સપર્યવસિત - દ્રવ્યથી એક પુરુષદ્રવ્યને અંગીકાર કરી નિરુપિત કર્યો છે. (૨) સાદિ અપર્યવસિત - પ્રરૂપણા માત્ર છે ક્યારેય ક્યાંય આ ભાંગો સંભવતો નથી. (૩) અનાદિ સપર્યવસિત - ભવ્યાશ્રીયીને-અનાદિકાળથી-કેવલજ્ઞાનોત્પત્તિ સુધી હોય છે. (૪) અનાદિ અપર્યવસિત - અભવ્યાશ્રયીને-અનાદિકાળથી-અનંતકાળ સુધી હોય છે. ક્ષેત્ર-કાળ-ભાવ દ્વારા પ્રથમ ભંગો - સાદિ-સાંત
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy