SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬૧) વિના સાચી વાત કહેવામાં આવે તોપણ સમજાતી નથી. માટે યોગ્યતા લાવવા પુરુષાર્થ હાલ કર્તવ્ય છે). (બો-૩, પૃ. ૨, આંક ૫૧). T જેને જેને સત્પષની શ્રદ્ધા જેટલા પ્રમાણમાં થઈ હશે તેટલું આત્માનું કલ્યાણ થશે. મહાભાગ્યશાળી હશે તેને આવા હડહડતા કળિકાળમાં સાચા પુરુષ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે, તેના અનુયાયી વર્ગ પ્રત્યે પ્રેમ-પ્રતીતિ જાગશે. જપ-તપ, શાસ્ત્રજ્ઞાન આદિ સર્વ ધર્મકાર્યનો પાયો પરમપુરુષ પ્રત્યેની શ્રદ્ધા છેજ. જેની શ્રદ્ધા બળવાન હશે તેનો પુરુષાર્થ પણ લૂલો ન રહે. લોકો ભલે જાણે કે ન જાણે, પણ તેનો આત્મા પરમાર્થ માટે તલપાપડ થઈ રહે. છૂટું–છૂટું અંતરમાં થઈ રહ્યું હોય, તે છાનું ન રહે. ભરત ચક્રવર્તી લડાઇઓ લડતા હતા, ત્યારે પુંડરિક ગણધરે શ્રી ઋષભદેવને પ્રશ્ન કર્યો કે “હે ભગવાન ! અત્યારે ભરત ચક્રવર્તી છ ખંડ સાધે છે અને મોટી લડાઇઓમાં પડયા છે. તે વખતે તેમના આત્માનાં પરિણામ કેવા વર્તે છે?” ભગવાને ઉત્તર આપ્યો : “તારા જેવાં.' ક્યાં ગણધરની પ્રવૃત્તિ અને ક્યાં રાજ્યો જીતવાની પ્રવૃત્તિ ! પણ આત્મા જેનો જાગ્યો છે, તેને સંસાર કેવો લાગે, તેનું એ આબાદ ડ્રષ્ટાંત છે. તે જ પરિણામ દ્રઢ રાખીને, અરીસાભુવનમાં તેમણે કેવળજ્ઞાન પ્રગટાવ્યું. બહારથી કોઈ જાણે કે એ તો અકસ્માત કેવળજ્ઞાન થઈ ગયું હશે; પણ તેને માટે રાતદિવસ તેમનો કેટલો પુરુષાર્થ હતો ? અને શ્રી ઋષભદેવ સ્વીકારે તેવાં આત્મપરિણામ ટકાવી રાખતા હતા. કર્યું થાય છેજી. (બી-૩, પૃ. ૨૧૬, આંક ૨૧૪) મુમુક્ષુએ પુરુષના દોષ જોવાથી તો પ્રથમ છૂટવું જ જોઈએ, અચળ શ્રદ્ધા કરવી જોઈએ તો તેનાં વચન તેને પરિણામ પામે. કેવી શ્રદ્ધા જોઈએ તેનું દ્રષ્ટાંત પ.પૂ. પ્રભુશ્રીજીએ આપ્યું હતું : એક ગુરુ-શિષ્ય વિહાર કરતાં વડની છાયામાં વિસામો લેવા બેઠા. શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ. તેવામાં એક સાપ દોડતો આવ્યો. તેને રોકીને ગુરુએ પૂછયું, શું કામ આવ્યો છે ? તેણે કહ્યું કે તમારા શિષ્યના ગળાનું લોહી પીવા, પૂર્વના વેરને લઈને આવ્યો છું. ગુરુએ તેને કહ્યું, હું તને તેના ગળામાંથી લોહી કાઢીને આપું છું. એમ કહી ગળાની ચામડી ચપ્પથી કાપવા લાગ્યા કે શિષ્ય આંખ ઉધાડી, પણ ગુરુને જોયા એટલે મીંચી દીધી અને માન્યું કે ગુરુ કરતા હશે તે સારું જ કરતા હશે. પછી કાચલીમાં લોહી કાઢી સાપને પાયું. તે પીને તે પાછો વળી ગયો. આ શિષ્યની પેઠે મહાત્માને પોતાનું ગળું કાપતા પોતાની નજરે પ્રત્યક્ષ દેખે, તોપણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે. મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે. તેમના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે તો અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ પ્રાપ્ત થાય; પણ ભક્તિ જાગી હોય તો તેમ બને, માટે ગુરુભક્તિ વધારતા જવું એ આપણું કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૩૫૯, આંક ૩૫૯). ગમે તેમ હો, પણ સદ્ગુરુ કહે એમ કરવું. ભલે સોમલ આપે તોપણ ખાઈ જવો. એવી શ્રદ્ધા જોઈએ. જેમ છાશ વલોવીને માખણ કાઢે છે અને તેને પાછું નાખી, છાશ અને માખણ એક કરવા જાય તો ન થાય; તેવી જ રીતે, એક વખત જો શ્રદ્ધા થઇ ગઈ તો કોઈ દિવસ નહીં ફરે. હા, કર્મની વાત જુદી છે; કોઇ મિથ્યાત્વકર્મનો ઉદય હોય તો ફરે. (બી-૧, પૃ.૪૮, આંક ૨૨)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy