SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૭) આત્મા ઉપયોગસ્વરૂપ છે. ઉપયોગ સદાય નિરંતર છે, તે ઉપયોગ ઉપર ઉપયોગ રાખવો. સૂર્ય-ચંદ્ર વાદળાં આડે ન દેખાય તોપણ છે એમ પ્રતીતિ છે; તેમ શુદ્ધસ્વરૂપ છે, એ પ્રતીતિ ભૂલવા યોગ્ય નથી. ઉપયોગ ભૂલી જવાય છે. એ ભૂલ ભગવાન મહાવીરસ્વામીએ દીઠી, તો ઠામ-ઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે.'' (બી-૩, પૃ.૭૬૪, આંક ૯૬૫). 0 લૌકિક વ્યવહારરૂપ પર્યુષણ મહાપર્વ કેટલાંય આવ્યાં અને ગયાં, પણ જીવ મોહનિદ્રામાંથી હજી જાગ્યો નહીં, તેનું શું કારણ ? અને કેવા પ્રકારે આ સ્વપ્નદશા નિવૃત્ત થાય ? તેનો વિચાર મુમુક્ષુજીવ કરે છે; કારણ કે આ પ્રશ્નનો ઉકેલ આવ્યા વિના જીવની અનાદિની ભૂલ મટવી મુશ્કેલ છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લોલુપતા જીવને વર્તે છે, તેની પ્રિયતા ચિત્તમાં ઘર કરીને બેઠી છે; તે એવી જબરી છે કે કેટલોક કાળ અમુક ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કરવામાં આવે તો પણ તેની રૂચિનો ત્યાગ થતો નથી. એ સંસારવાસનાનું મૂળ શાથી છેદાય? વ્રતનિયમોથી પણ તે નિર્મૂળ થતી નથી, તો તેને માટે કોઈ બીજો જ ઉપાય હોવો જોઇએ. મોટા પુરુષોએ વારંવાર વિચારીને, તેનાં કારણ શોધ્યાં છે અને તેના ઉપાય જાણી, આદરી, તેથી મુક્ત થઈ મોક્ષે ગયા છે. આપણને પણ મુક્તિની ઇચ્છા હોય તો તે સિવાય બીજો માર્ગ નથી. મિથ્યાત્વ, અજ્ઞાન, વિપરીત માન્યતા - એ જ સર્વ દુઃખનું કારણ સત્પરુષોએ કહ્યું છે અને વિચારવાનને તે કારણો સિવાય બીજા કશાનો ભય હોતો નથી. લોકલજ્જા, પરિશ્રમ, નિંદા, કીર્તિ આદિને નહીં ગણતાં, માત્ર અજ્ઞાનનો નાશ કરવા મુમુક્ષુ જીવ કેડ બાંધી તૈયાર થાય છે, અને તે કેમ દૂર થાય, તેનો વિચાર કરતાં તેને જણાશે કે જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, સમ્યકત્વ જેને પ્રગટ થયું છે એવા સપુરુષનાં વચન વિના કોઈ કાળે મિથ્યાત્વ-અજ્ઞાનરૂપી અનાદિ ભૂલ મટવાની નથી. “જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે.'' સપુરુષનો બોધ એ દર્શનમોહનીયકર્મરૂપ વિપરીતપણું ટાળી, સમ્યકુશ્રદ્ધા પ્રગટાવે છે, અને સમ્યક્દર્શન કે સન્ત્રદ્ધા પ્રગટવાથી મોક્ષનો માર્ગ મોકળો થાય છે. તેને મોક્ષ વિશેષ દૂર નથી, પણ સ્વસ્વભાવરૂપ મોક્ષને તે જીવ પામે છે. આવી ઉત્તમ કમાણી આ મનુષ્યભવમાં પ્રાપ્ત થઈ શકે છે. તેની તરફ દ્રષ્ટિ નહી રાખતાં જીવ સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન આદિમાં જ વૃત્તિ રોકી રાખે છે. તેથી આ ભવમાં કરવા યોગ્ય કાર્ય રહી જશે અને મરણ તો આવીને ઊભું રહે છે, અથવા આયુષ્ય ક્ષણે-ક્ષણે ઓછું થાય છે, તે મરણ જ છે. તેનો વિચાર કરી, સમજવા યોગ્ય આત્મસ્વરૂપ માટે વિશેષ કાળજી રાખવી ઘટે છે. કાળ ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે થઈ રહ્યું છે, તો આ જીવ કયા કાળને ભજે છે? મોક્ષની સરખામણીમાં મોટા ચક્રવર્તીનું સુખ પણ વિષ્ટાના કીડા જેટલું પણ નથી તો આ જીવ સંસારમાં શું સુખ દેખી રહ્યો છે કે જેને લઈને અનેક પ્રકારના પ્રતિબંધ કરી, પરિભ્રમણનાં કારણો એકઠાં કર્યા કરે છે? સપુરુષોએ પરમાર્થે કહેવામાં કંઈ બાકી રાખી નથી; પણ જીવે તેમની આજ્ઞા ઉઠાવવામાં, તે પ્રમાણે કરવામાં ખામી રાખી છે. સત્સંગ, સપુરુષનો બોધ, તેનાં વચન-આજ્ઞા ઉપાસવાની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૨, આંક ૩૮)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy