SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] અલ’કારધ્વનિની પ્રત્યેાજનવત્તા [ ધ્વન્યાલેક અતિશયાક્તિધ્વનિના દૃષ્ટાંત તરીકે મારા (અભિનવગુપ્તને ) જ શ્લેાક ઉતારું છુંઃ— "" તારાં અને નેત્રા ક્રીડાના નવા અંકુર સમાન વિલાસમય વસંતનું અગ્રગણ્ય શરીર છે, ભમરાના લીલામય વિલાસને કાર્યક્રમ ભંગિમાપૂર્વક વળનાં ધનુષ છે, મુખકમલની મદિરા ક્ષણમાં આશ્ચર્યજનક રીતે વિકાર પેદા કરે છે. હે સુંદરી, સાચે જ તું આ ત્રણે લેાકમાં બ્રહ્માજીની એક અનુપમ રચના છે.' મધુ એટલે વસંત, મદન અને મદિરા એ ત્રણે લેાકમાં સુંદર છે, કારણ, એ અન્યાન્યનાં પરિપેાષક છે. એ ત્રણે ભેગાં થઈને તારા શરીરમાં રહેલાં છે, એમ કહેલું છે. અહીં મધુ, મદન અને દેશને નાયિકાના રારીર સાથે સંબંધ ન હોવા છતાં કપેલા છે, એટલે અહીં સાંતશયેક્તિ અલંકાર વ્યજિત થાય છે. એ ઉપરાંત, મધુ તથા નેત્ર, મુખને આસવ અને નિંદા, તથા ભમર અને કામના ધનુષ્યમાં ભેદ હેવા છતાં અભેદ કલ્પેલા છે, એટલે અહીં અભેદ્રાતિશયાક્તિ પશુ વ્યંજનાં સર્જાય છે. આમ, ખે પ્રકારની અતિશયાક્તિ ઉપરાંત અંત પણ અલકારાની પ્રતીતિ વ્યંજનાથી અહીં થઈ શકે એમ છેઃ--- (૧) વિભાવનાધ્વનિ : સામાન્ય રીતે મદિરા પીધા પછી ઘેાડી વારે વિકાર પેદા કરે છે, પણ મુખ-મદિરા તેા પાતાંવેત જ વિકાર પેદા કરે છે. એટલે અહીં આસ્વાદપર પરારૂપ કારણ વગર જ કાર્ય ઉત્પન્ન થાય છે એટલે વિભાવના અલંકાર વ્યજિત થાય છે. (૨) તુલ્યયાગિતાધ્વનિ : એ નેત્રા અને વસંત એ બંનેને વિલાસનુ શ્વરીર ગણાવ્યું છે. આમ વિશિષ્ટ એવા વસ ંત સાથે સમાનતા સ્થાપીને ન્યૂન એવાં નેત્રાના એક ધર્મી વિલાસ સાથે સંબંધ જોડવામાં આવ્યા છે. એટલે ઉદ્ભટને મતે અહીં તુલ્યયેાગિતાલંકાર થાય. એ પણ અહીં વ્યંજનાથી સમજાય છે. કહેવાની મતલબ એ છે કે જેટલા અલંકારો છે તે બધા જ ધ્વનિત થઈ શકે છે. અલ'કારધ્વનિની પ્રયોજનવત્તા આ પ્રમાણે અલંકારધ્વનિના વિષયનું વિગતે પ્રતિપાદન કર્યા પછી હવે તેની પ્રયેાજનત્તા સ્થાપિત કરવા કહે છે કે~
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy