SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોત ૨-૧૮, ૧૯ ] અલ્કારયેાજનાની છ શરતા [ ૯૩ લતાને ન આવ્યાં, એ સમાચાર સાંભળી રાજા પેાતાની લતાને જોવા જાય છે અને વિદૂષકને કહે છે કે “ મદનાવેશયુક્ત પરનારી જેવી એ લતાને હું જોઇશ એટલે રાણીનું માઢું ઈર્ષ્યાથી લાલ થઈ જશે.” અહી લતાને માટે વાપરેલાં બધાં જ વિશેષણા શ્લિષ્ટ એટલે કે દ્વિઅર્થી છે અને તે લતાને તેમ જ પરનારીને તેને લાગુ પડે છે. મ્લાકના અ એવા છે કે — “ આજે હું મદનાવેશયુક્ત પરનારી જેવી મદન નામના વૃક્ષ સાથે વીંટાયેલી, પુષ્કળ કળીઓવાળી (પરનારી પક્ષે પ્રખળ ઉત્કંઠાવાળી) પુષ્કળ કળીઓને લીધે ઉપરથી નીચે સુધી વેત થઈ ગયેલી (નારી પક્ષે ઉત્કંઠાતિશયને લીધે ફીકી પડી ગયેલી ), તે જ ક્ષણે ખીલવા માંડેલી (નારી પક્ષે કામાવેગથી આળસ મરડતી), વસંતના વાયુથી મંદ મંદ ડેાલતી (નારી પક્ષે લાંમા લાંખા શ્વાસેથી મદનાવેશને કે વ્યથાને પ્રગટ કરતી), એ ઉદ્યાનલતાને જોઈશ એટલે રાણીનુ મુખ ક્રોધથી લાલ થઈ જશે.” અહી' ઉપમાશ્લેષની અવસરે કહેતાં ચાગ્ય પ્રસંગે યાજના થઈ છે. કારણ, લેાચનકાર સમાવે છે તેમ, એ ભાવિ ઈર્ષ્યાવિપ્રલંભને મા ચાખ્ખા કરે છે અને ભાવકને તેની ચા માટે તૈયાર કરે છે. એ નાટકમાં સાચે જ રાજાના સાગરિકા પ્રત્યેના પ્રેમને લીધે વાસવદત્તામાં ઈર્ષ્યાવિપ્રલંભને ઉય થવાના જ છે. એક અલકારને સ્વીકાર્યાં પછી ચેાગ્ય અવસરે ઇષ્ટ રસને અનુકૂળ ખીજા અલંકારને સ્થાન આપવા માટે કિવ તેને અધવચ છેાડી દેતા હોય એવું ઉદાહરણ ― ૧૫મી કારિકાના વિવરણમાં એ શ્લાક અને તેના અર્થ આપ્યા છે. આ ( Theવમૂ॰ ) શ્ર્લાકની શરૂઆતમાં વાપરવા માંડેલા શ્લેષાલકારનેા વ્યતિરેકાલકાર માટે ત્યાગ કરવામાં આળ્યે છે, એથી વિવક્ષિત રસને પેાષણ મળ્યુ છે. આ શ્લાકમાં શ્લેષ અને વ્યતિરેક એ એ અલકારા ભેગા આવ્યા છે, એટલે પ્રશ્ન એ છે કે અહી` એમની સ`ષ્ટિ છે કે સંકર ? આનંદ
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy