SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ જો વાતકરનાર હોય તો, વૈરાગ્યની છાંટ જ ન હોય એ બને એવી વસ્તુ છે ? સંસારના સુખમાં અને સંસારના સુખની સામગ્રીમાં બહુ રાચવા-માચવા જેવું નથી-એવી વાત થાય; અને, એ જાય ત્યારે શોક થયો હોય તો શોક કરતાં પણ એના નશ્વરપણા વગેરેની વાત થાય; તો એ વાત પણ વૈરાગ્યના ઘરની જ વાત છે ને ? તમે સાંભળ્યું ને કે-શ્રી વજ્રબાહુએ ઉદયસુન્દરને સમજાવતાં કહ્યું કે- ‘ચારિત્ર એ જ આ મનુષ્યજન્મ રૂપી વૃક્ષનું સુન્દર ફ્લ છે. અને, એ વાતનો ઉદયસુન્દરે પણ વિરોધ કર્યો નહિ ને ? બીજી વાત એ પણ છે કે-વૈરાગ્યના સંસ્કાર જ ન હોત, તો શ્રી વજ્રબાહુએ જ્યારે મુનિને વન્દન કરવાની ઇચ્છા પ્રગટ કરી, ત્યારે મશ્કરીમાં પણ ઉદયસુન્દરે જે એ જ પૂછયું કે- ‘શું તમે દીક્ષા ગ્રહણ કરશો ?' તે પૂછયું ન હોત. એ કાંઇ આજના કેટલાકોની જેમ દીક્ષાના માર્ગની મશ્કરી કરનારા નહોતા; અને, જો એ દીક્ષાના માર્ગની મશ્કરી કરનારા હોત, તો તો અહીં બધાએ દીક્ષા ગ્રહણ કરી તેની જગ્યાએ કોઇ નવું જ અને બહુ વિચિત્ર ગણાય તેવું તોફાન પેદા થયું હોત ! સ. જો મનમાં વૈરાગ્ય હતો તો પરણવા શું કરવાને ગયા ? વૈરાગ્ય એ મિથ્યાત્વના ક્ષયોપંશમાદિ-જનિત કાર્ય છે અને વિરતિ એ ચારિત્રમોહનીયના ક્ષયોપશમાદિ-જનિત કાર્ય છે. વિરાગ મિથ્યાત્વની મન્દતાના યોગે જન્મે, એટલે પહેલા ગુણઠાણે રહેલા પણ મન્દ મિથ્યાદ્રષ્ટિઓમાંય વિરાગ હોઇ શકે. સમ્યદ્રષ્ટિમાં વેરાગ અવશ્ય હોય, પણ સમ્યગ્દર્શનને નહિ પામેલામાં વિરાગ 1 જ હોય એમ કહી શકાય નહિ. મોક્ષનો આશય પણ, સમ્યગ્દર્શન પ્રગટ થયા પહેલાં મિથ્યાત્વની મન્દતાથી આવી શકે છે. ગ્રન્થિદેશથી આગળ વધેલા અને હજુ ગ્રન્થિ જેમની ભેદાઇ નથી
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy