SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમાપ્રાર્થના પ્રસ્તુત પ્રશ્નવ્યાકરણ સૂત્રના ગુજરાતી અનુવાદની જાહેરાતના હેન્ડખીલમાં જાહેર કરવામાં આવ્યું હતું કે આ ગ્રંથને મુનિ પુણ્યવિજયની સુંદર પ્રસ્તાવનાથી સુશોભિત કરવામાં આવશે.” એટલે વાચકા આ પુસ્તકનું પાનું ઉધાડતાં તે પ્રસ્તાવના જોવાની આશા જરૂરજ રાખતા હશે; પણ જ્યારે તેનું પાનું ઉઘાડતાં તે આશાને નિરાશામાં ફેરવાયલી જોશે ત્યારે જરૂર કેટલાક વાચક્રાને દુઃખ થશે એ હું ખરાબર સમજું છું, અને તે બદલ પ્રારંભમાંજ તે ઉદાર અને સ્નેહી વાચક એની સવિનય ક્ષમા પ્રારું છું. મુનિવર શ્રીયુત છેટાલાલજી સ્વામીના અને મારે એકજ ધર્મપ્રચારક ધમપિતા શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના પુત્ર તરીકેના અંગત સ્નેહસંબંધ વષઁ થયાં નિખાલસપણે ચાલ્યા આવતા હતા. તેને પરિણામે ગત ચાતુર્માંસમાં એટલે કે વિક્રમ સંવત ૧૯૮૮ના ચાર્તુમાસમાં તેએશ્રીએ મને પ્રશ્નવ્યાકરણના અનુવાદ ઉપર વિસ્તૃત પ્રસ્તાવના લખવા અત્યંત આદર અને લાગણીભરી રીતે આગ્રહ કર્યો. જો કે હું સાચું કહું તે, મારી કા સ રણી ભિન્ન દિશામાં વહેતી હાવાથી પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવના લખવા માટેની જે તૈયારી જોઈ ચે તે જરાય નહોતી અને તે માટેની રૂપરેખાય . મારા મગજમાં નહોતી, તેથી મે' તેઓશ્રીને તે માટે ના પાડી હતી; તેમ છતાં તેઓશ્રીએ મારા સમક્ષ એવી દલીલ રજુ કરી કે— આપ આ પુસ્તક ઉપર પ્રસ્તાવના લખશો તેા ઉભય સંપ્રદાયની સમજદાર જનતા ઉપર એવી અસર પડશે કે પરસ્પરમાં અમુક અંશે ભિન્ન ભિન્ન માન્યતા ધરાવવા છતાં એકજ ધર્મપિતાના પુત્ર સમાન, ઉભય સંપ્રદાયના જૈન મુનિએ સત્ય સિદ્ધાંતની આખતમાં પરસ્પર સહકાર અને સમભાવ સાધી શકે છે, અને તેથી .
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy