SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ & સપ્તતિકા કર્મગ્રંથ ૨૭૫ જીવસ્થાનકને વિશે જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મના ભાંગા - तेरससु जीव संरवेवणसु नाणंतराय-तिविगप्पो। इक्कम्मि तिदुविगप्पो, करणं पइ इत्थ अविगप्पो ॥३६॥ ગાથાર્થ તેર જીવભેદને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો ત્રણ વિલ્પવાળો એક ભાગો, અને એક પર્યાપ્તાસંગ્લી જીવભેદને વિષે-ત્રણ અને બે વિકલ્પવાળા ભાંગા અને દ્રવ્યમનવાળાને આશ્રયીને કેવલીને અહીં વિકલ્પનો અભાવ છે. ૩૬ ચૌદ જીવસ્થાનને આશ્રયી જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મના ભાંગા જણાવે છે. પ્રથમ તેર જીવભેદને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મનો બંધ, ઉદય અને સત્તા એ ત્રણ વિકલ્પવાળો ભાંગો હોય છે અને સંજ્ઞી પર્યાપ્તાને વિષે ત્રણ વિલ્પવાળો અને બે વિકલ્પવાળો એ પ્રમાણે ૨ ભાંગા હોય છે તેમજ દ્રવ્યમનને, આશ્રયીને અને પૂર્વના મનને આશ્રયીને સયોગી કેવલી અને અયોગી ભવસ્થ કેવલીને સંજ્ઞીને વિષે ગણીએ તો જ્ઞાનાવરણીય અને અંતરાયનો અવિકલ્પ છે. એટલે કે બંધ, ઉદય અને સત્તામાંથી એક પણ વિલ્પ ન હોય. અબંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા ૧૧ મા અને ૧૨ મા ગુણઠાણે સંભવે છે. તેથી તેના વિના તેર જીવભેદને વિષે ત્રણ વિલ્પવાળો એક ભાંગો જ સંભવે. તેઓને એ ગુણસ્થાનનો અભાવ છે અને સંજ્ઞી પર્યાપ્તાને સર્વે ગુણઠાણા સંભવે માટે વિકલ્પો પણ બધા સંભવે છે. ૧૩ જીવભેદમાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવેધ કર્મ જીવભેદ બંધ ઉદય સત્તા વિકલ્પ જ્ઞાનાવરણીય - (૧૩) (૧) ૫ ૫ ૫ (૧) - સંજ્ઞી પર્યાપ્તામાં બે સંવેધભાંગા જ્ઞાનાવરણીય – ૧) ૫ ૫ ૫ (૨) ૦ ૫ ૫ અંતરાય ૧ થી ૧૩ જીવભેદ (૧) ૫ ૫ સંશી પર્યાપ્યો (૧) ૫ ૫ (૨) ૦ ૫ ૫ (૧૧)
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy