SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પચિદિ–પંચૅહિય. સાહાવિઓ-સ્વાભાવિક તિરનારાણું-તિર્યંચ અને | છ-છઠ્ઠ. મનુષ્યોને. અમઓ-અઠ્ઠમ પછી. શબ્દાર્થ વિકપ્રિય અને નારકીઓને તે આહાર ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પછી હોય છે, તથા પંચંદ્રિય (યુગલિયા) તિર્યંચ અને મનુષ્યને (અનુક્રમે) સ્વાભાવિક છઠ્ઠ અને અઠ્ઠમ પછી હોય છે. વિવેચન–વિકલૈંદ્રિય અને નારકી છને એકવાર આહાર લીધા પછી ઉત્કૃષ્ટથી અસંખ્યાતા સમયના અંતમુહૂર્ત પછી આહારની અભિલાષા ઉપજે. એકેદ્રિય જીવને આહારની ઈચ્છા નિરંતર ઉપજે. પંચેંદ્રિય તિર્યંચને રેગાદિકના અભાવે સ્વાભાવિક આહારની અભિલાષા એ અહોરાત્રિને આંતરે અને મનુષ્યને ત્રણ અહારાત્રિને આંતરે ઉપજે, તે ઈચ્છા દેવકુરૂ, ઉત્તરકુરૂ તથા ભરત અને અરવત ક્ષેત્રના સુષમ સુષમ આરામાં ૩ પલ્યોપમ આયુષ્યવાળા ચુગલિક તિર્યંચ મનુષ્યને જાણવી. તપ આચરનાર મનુષ્યને રૂષભદેવના શાસનમાં ૧ વર્ષ સુધી અને મહાવીર સ્વામીના શાસનમાં ૬ માસ સુધી ઉત્કૃષ્ટથી આહારની અભિલાષા ન થાય. નારકીઓને નિરંતર શ્વાસોશ્વાસ હોય છે. એક યિ, વિકલૈંદ્રિય, તિર્યંચ અને મધ્યમે શ્વાસોશ્વાસનું પ્રમાણે અનિયમિત હોય છે.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy