SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કર્મગ્રંથ-૬ જ જાણવા તથા અનાદિ મિથ્યાદ્રષ્ટિજીવ ઉપશમ સમક્તિની સાથેજ ૫, ૬, કે ૭ માંથી કોઈપણ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે ઘટે છે. ક્ષાયિક સમક્તિી જીવોને જે ઉદય ભાંગા કહેલા છે. તે સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યોને આશ્રયીને જાણવા ૫) ૪ + સમ્યકત્વ મોહનીય = આ પાંચના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય ૪+ ભય + સમ્યકત્વ મોહનીય = ૬ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય ૪+ જાગુપ્તા + સમ્યકત્વ મોહનીય = ૬ ના ઉદયના ૪ કષાય ર યુગલ ૩ વેદ= ૨૪ ભાંગા ૪ + ભય + જુગુપ્સા + સમ્યકત્વ મોહનીય = ૭ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય આ રીતે ૯ના બંધે ક્ષયોપક્ષમ સમક્તિીજીવ આશ્રયીને ૪ ચોવીશીના ૯૬ ભાંગા થાય છે. આ રીતે ૯ના બંધે કુલ ત્રણે સમક્તિી જીવોને આશ્રયીને ૯૬+૯૬=૧૯૨ ઉદય ભાંગા થાય છે. પાંચના બંધે ઉદયભાંગાનું વર્ણન પાંચનાબંધ ૨ પ્રકૃતિનો ઉદય હોય છે. કારણ કે ૮મા ગુણસ્થાનકના અંતે હાસ્યાદિ ૬ કષાયનો ઉદયમાંથી અંત થતા કોઈપણ ૧ કષાય અને કોઈપણ ૧ વેદ એમ ૨ પ્રકૃતિનો ઉદય હોય છે. સંજ્વલનકષાય + કોઈપણ ૧ વેદ = ર આ બે પ્રકૃતિના ૪ કષાય x ૩ વેદ= ૧૨ ભાંગા થાય છે. ૪ના બંધે ૧ પ્રકૃતિનો ઉદય હોય છે. સંજ્વલન ૪ કષાયમાંથી કોઈપણ ૧ કષાયનો ઉદય તેથી ૪ ભાંગા ગણાય છે. (૩ના બંધે ૧ પ્રકૃતિનો ઉદય હોય છે સંજ્વલન માન, માયા અને લોભ આ ૩માંથી કોઈપણ ૧નો ઉદય હોવાથી ત્રણ ભાંગા ગણાય છે. - ૨ પ્રકૃતિનાબંધે ૧નો ઉદય હોય છે. સંજ્વલન માયા અથવા લોભનો ઉદય હોવાથી ર ભાંગા ગણાય છે.
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy