SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન .૧૦૧ ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધી જ્ઞાન રૂપે ક્ષયોપશમભાવ હોય છે. (૩) ઔદયિક અને (૪) પારિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય છે. મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય આ બે પ્રકૃત્તિઓને વિષે ક્ષયોપશમભાવ ત્રણ પ્રકારે હોય છે. ૧. અનાદિઅનંત - અજ્ઞાન રૂપે ક્ષયોપશમભાવ અભવ્યજીવોને હોય છે. ૨. અનાદિસાત - ભવ્યજીવોને સમકિતની પ્રાપ્તિ થાય ત્યારે જ્ઞાન રૂપે અને પહેલા ગુણસ્થાનકે અજ્ઞાન રૂપે ક્ષયોપશમભાવ હોય છે. ૩. સાદિસાત - ભવ્ય જીવો સમકિતથી પડેલા જે હોય તેઓને જ્ઞાન રૂપે ક્ષયોપશમભાવ હોય છે. ૩. અવધિજ્ઞાનાવરણીયને વિષે મૂળ ચારભાવ હોય છે. ક્ષયોપશમ, ક્ષાયિક, ઔદયિક, પારિણામિક. સાયિક ભાવ - ૧૩મા ગુણસ્થાનકથી હોય છે. ક્ષયોપશમભાવ - જ્યાં સુધી અવધિજ્ઞાન અને વિભંગશાન ન થાય ત્યાં સુધી ઔદયિકભાવ હોય છે. અને જ્યારે જીવને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે ક્ષયોપશમભાવની શરૂઆત થાય છે. તેને ઉદયાનુવિદ્ધભાવ હોય છે. ઔદયિકભાવ અને પરિણામિકભાવ - ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય છે. ઉદયાનુવિધ્ધ ક્ષયોપશમભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય છે. (૪) મન:પર્યવજ્ઞાનાવરણીયને વિષે મૂળ ચારભાવ હોય છે. સાયિક, ક્ષયોપશમકિ, ઔદયિક, પારિણામિક. સાયિકભાવ ૧૩મા ગુણસ્થાનકથી શરૂ થાય છે. લયોપશમભાવ ૧ થી ૫ ગુણસ્થાનક સુધી દેશઘાતીના અધિક રસવાળા દલિકો ઉદયમાં હોવાથી શુદ્ધ ઔદયિકભાવ કહેવાય છે. અને ૬ થી ૧૨ ગુણસ્થાનક સુધી ઉદયાનુવિધ ક્ષયોપશમભાવ હોય છે.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy