SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ મતિજ્ઞાનનું વર્ણન મતિજ્ઞાનના ૨૮ ભેદ સ્પર્શેન્દ્રિયના ૫ ભેદ વ્યંજનાવગ્રહનાને ૪ રસનેન્દ્રિયના ૫ ભેદ અર્થાવગ્રહનાને ૬ ધ્રાણેન્દ્રિયના૫ ભેદ ઈહાના – ૬ શ્રોતેન્દ્રિયના– ૫ ભેદ અપાયના – ૬ ચક્ષુરિન્દ્રિયના- ૪ ભેદ ધારણાના – ૬ મનના – ૪ ભેદ ૨૮ ભેદ ૨૮ આ પ્રમાણે બન્ને રીતે ૨૮ ભેદ જાણવા. જ્યારે જ્ઞાનના ૫૧ ખમાસમણ દેવા હોય ત્યારે આ મતિજ્ઞાનના ૨૮માંથી એક એક ભેદ દુહા સાથે બોલવા અને ખમાસમણ દેવું જેમ : (૧) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ મતિજ્ઞાનના ૧૨ ભેદ (૧) બહુજ્ઞાન-ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલા વિષયમાં ઘણા પદાર્થનું જ્ઞાન. જેમ - દાળ-શાક વાપરતાં તેમાં જીરુ, મરચું, હળદર, ગોળ, લીંબુ આદિની ખટાશ વિગેરે ઘણા પદાર્થનો ખ્યાલ આવે છે. આ રીતે દરેક વ્યાખ્યામાં સમજવું. (૨) અબહુ - કેટલાક પદાર્થનું જ્ઞાન. શ્રોતેન્દ્રિય દ્વારા ગ્રહણ કરેલ વાજિંત્રોના અવાજમાં કેટલાક વાજિંત્રોનો અવાજ સમજાય. ઘણા બધાનો નહીં તે. (૩) બહુવિધ - તીવ્ર-મંદ-મંદતર ધર્મસહિત જ્ઞાન. ધ્રાણેન્દ્રિય દ્વારા ગ્રહણ કરાયેલ બગીચાના પુષ્પોની સુગંધમાં અમુક ફુલની સુગંધ ઘણી અને સારી છે. કેટલાકની મંદ (ઓછી) છે એવો ખ્યાલ આવે છે.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy