SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ગોત્રકર્મના આશ્રવ ૧૭૯ શબ્દાર્થ : અમનિન = અકામ નિર્જરાવાળો, નય = બાંધે છે, IRવો = આસક્તિ વિનાનો, મજુદું = અશુભ નામને. ગાથાર્થ : અવિરતસમ્યક્રદૃષ્ટિ આદિ બાલતપસ્વી, અકામ નિર્જરાવાળો દેવાયુષ્ય બાંધે છે. સરલ અને ગારવરહિત હોય તે શુભ નામકર્મને બાંધે છે. તેનાથી વિપરીત હોય તે અશુભ નામકર્મને બાંધે છે. તે પ૯ છે. વિવેચન : દેવાયુષ્યના આશ્રવ : (૧) અવિરતસમ્યગદષ્ટિ આદિ શબ્દથી દેશવિરતિ મનુષ્ય-તિર્યંચ, પ્રમત્તસંયત્ત, અપ્રમત્તસંયમ મનુષ્ય. (૨) અકામ નિર્જરા-દેખાદેખીથી-ગતાનુગતિક-ઈચ્છા વિના સારા ભાવથી તપ કરનાર-ઠંડી-ગરમી, ભૂખ વિગેરે કષ્ટ સહન કરનાર. (૩) શુભ લેગ્યા-તેજો-પ-શુક્લ લેશ્યાના પરિણામવાળો દેવાયુષ્ય બાંધે શુભ નામકર્મના આશ્રવ : (૧) સરળતા ગુણવાળો-કપટ રહિત, મન-હૃદય-વાણીવાળો. (૨) ગારવરહિત - ત્રણ ગારવ રહિત. (૧) રસ ગારવ-ઈન્દ્રિયોના વિષયમાં આસક્તિ રહિત (૨) ઋદ્ધિગારવ-ધન-સંપત્તિમાં આસક્ત ન રહે, એટલે વારંવાર તેને મેળવવાના ઉપાયો ન વિચારે, સંપત્તિ ગણવામાં આસક્ત ન રહે. (૩) શાતાગારવ-સુખના સાધનોમાં અનાસક્તપણે રહે છે. નામકર્મની ગતિ જાતિ આદિમાંની તથા ત્રસાદિ અને પ્રત્યેકની શુભ પ્રકૃતિનો બંધ કરે.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy