SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ પુદ્ગલનું જોડાણ થતું નથી માટે એમના મતે ૫ બંધન કહ્યાં. હવે તે પંદર બંધન આ પ્રમાણે (૧) ઔદારિકઔદારિક બંધનનામકર્મ : પૂર્વે ગ્રહણ કરેલાં ઔદારિક પુદ્ગલોનો નવા ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલો સાથે સંબંધ કરી આપે તે ઔદારિક ઔદારિક બંધન નામકર્મ. (૨) ઔદારિકતૈજસ બંધનનામકર્મ : પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલોનો પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતા તૈજસ પુગલોની સાથે સંબંધ કરી આપે તે ઔદારિક તૈજસ બંધન નામકર્મ (૩) ઔદારિકકાર્પણ બંધનનામકર્મ : પૂર્વે ગ્રહણ કરેલાં અને નવા ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલોને પૂર્વે ગ્રહણ કરેલાં અને નવા ગ્રહણ કરાતા કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ કરી આપે તે ઔદારિક કાર્પણ બંધન નામકર્મ. (૪) ઔદારિકતૈજસ કાર્મણબંધનનામકર્મ : પૂર્વે ગ્રહણ કરેલાં અને નવા ગ્રહણ કરાતા દારિક પુગલોની સાથે પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરાતા તૈજસ અને કાર્પણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તેને ઔદારિક તૈજસ-કાર્પણ બંધન નામકર્મ. આ જ રીતે વૈક્રિય શરીરના અને આહારક શરીરના ૪-૪ બંધન ગણતાં ૧૨ બંધન થાય અને તેજસકાર્પણના પોતાના ૩ બંધન આ પ્રમાણે (૧૩) તૈજસતૈજસબંધનનામકર્મ : પૂર્વે ગ્રહણ કરેલા તૈજસ વર્ગણાના પુગલો સાથે નવા ગ્રહણ કરાતા તૈજસ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy