SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સુખમય બનતી દશાનો ઉલ્લેખ છે. “રાત્રિઓને ટૂંકી કરીને તથા નદીના પ્રવાહને સૂકવી નાંખી, પાતળો કરીને ઉનાળાની ઋતુએ ચક્રવાક પક્ષીઓ ઉપર ક્યો ઉપકાર નથી કર્યો?” અહીં, કવિસમય મુજબ, રાત્રે, નદીના જુદા જુદા કાંઠે વસતી ચક્રવાકબેલડી, ઉનાળામાં રાત્રિ ટૂંકી થવાથી ટૂંકો સમય વિરહ ભોગવે છે અને નદીનો પ્રવાહ ગીષ્મમાં ક્ષીણ થવાથી, ભલે બંને પક્ષી જુદા જુદા કાંઠે હોય છે તો પણ, અગાઉની ઋતુ કરતાં, અત્યારે વધુ નજીકપણું ભોગવે છે. આમ ઉનાળાના આગમનથી, દેશ તથા કાળ બંનેથી તીવ્ર બનતો વિરહ, દૂર થયો છે. એ ઉનાળાનો મહાન ઉપકાર છે એવો શ્લોકનો ભાવ છે. સત્ના અ-વર્ણનના જાતિ, દ્રવ્ય, ગુણ અને ક્રિયાને લગતા કવિસમો તથા અસલૂના વર્ણનના પણ જાતિ, દ્રવ્ય, ગુણ અને ક્રિયાગત કવિસમયનાં ઉદાહરણો આપ્યા બાદ, ગ્રંથકાર, હવે, વિવેકીમાં, નિયમરૂપ કવિસમયના જાતિ, દ્રવ્ય, ગુણ અને ક્રિયાગત પ્રકારોનાં ઉદાહરણો આપે છે. વૃત્તિમાં કહ્યું છે કે, બધે મળતાં જાતિ વગેરે વસ્તુધર્મોનું એક જ જગ્યાએ હોવાનું બતાવવું એ નિયમ - તિપ્રસ$ી નાત્યાāત્રીવધારાન્ ! “કાવ્યમીમાંસા' (અ.૧૪)માં રાજશેખરે પણ સમજાવ્યું છે કે, માત્ર પ્રવૃત્તવૃત્તીરામેટીનાં નિયમ: અર્થાત્ અનેક સ્થળે (બ) થતા વ્યવહારોનું એક જ સ્થળમાં નિયમન તે જ નિયમ. અલબત્ત, નિયમરૂપ કવિસમયની આ પ્રથમ વ્યાખ્યા છે. નિયમનો બીજો અર્થ પણ વૃત્તિમાં આપેલો છે અથવા નિયમ: સમય વીતામ્ T એટલે કે “નિયમ એટલે કવિસંકેત અથવા વિશિષ્ટ વસ્તુઓ વિશેની કવિઓમાં પ્રવર્તતી માન્યતા. આનાં ઉદાહરણો ગ્રંથકાર પછી આપશે. ' પહેલાં નિયમના ચાર ભેદ-જાતિનિયમ, દ્રવ્યનિયમ, ગુણનિયમ તથા ક્રિયાનિયમ-નાં ‘વૃત્તિમાં આપેલાં દષ્ટાંતોનાં કાવ્યમય ઉદાહરણો જોઈએ. જાતિનિયમના પ્રથમ દષ્ટાંત-“સમુદ્રોમાં જ મગરો હોય છે'નું ઉદાહરણ, શ્લોક(૮૭)માં છે. પોતાના નામ “મકર(મગર) પરથી જે “મકરાલય” નામથી વિખ્યાત બન્યો છે તે સમુદ્રને નિવાસગૃહ બનાવનાર મગર, પોતાના ભાઈભાડુંઓ સમક્ષ પોતાના દાંતો વિશે ગર્વ દર્શાવે તો તે ગર્વ અભિનંદનીય છે. કેમ કે, વિશાળ સમુદ્રમાં બીજા જીવો, રત્નો વગેરે છે છતાં સમુદ્રમાં વસે છે તેથી, સમુદ્ર પર, તેનું નામ અંક્તિ થયું છે. આ રીતે, કવિએ, બધે મળતી મગર જાતિને માત્ર સમુદ્રમાં જ રહેતી દર્શાવી છે. ૬૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy