SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુઓને જુદી પાડે છે અને એમ કરીને, “ગાય” એટલે “ગાય સિવાયનું બીજું કશું નહીં - અશ્વ નહીં, હાથી નહીં, એવો અર્થ સિધ્ધ કરી લે છે. આ રીતેવિવેકમાં, શ્રી હેમચંદ્રાચાર્યે, સંકેત ક્યાં રહેલો છે તે અંગે શરૂ કરેલી ચર્ચા પૂરી થાય છે. આ ચર્ચામાં જાત્યાદિવાદ (જેનો ગ્રંથકારે પુરસ્કાર કર્યો છે), જાતિવાદ, જાતિવિશિષ્ટ વ્યક્તિવાદ અને અપોહવાદનું એ ચાર મતોનું વિવરણ કર્યું છે. નવ્ય તૈયાયિકોએ આ ઉપાંત એક પાંચમો મત સ્થાપ્યો છે જે વ્યક્તિવાદ કે કેવલ વ્યક્તિવાદ કહેવાય છે. આ મતના સમર્થકો વ્યવહારના આધારે સંકેતની સ્થાપના કરે છે; કેમ કે વ્યક્તિથી જ વ્યવહારજગતનાં કામો ચાલે છે. તેથી વ્યક્તિ જ પ્રવૃત્તિ - નિવૃત્તિ યોગ્ય છે. કાવ્યપ્રકાશ(૨.૧૦ની વૃત્તિ)માં મમ્મટે આ મતની સ્પષ્ટ રજૂઆત કરી છે. આ સંજોગોમાં, નવ્યા નૈયાયિકો, વ્યક્તિમાં જ સંકેત છે એમ કહે તેમાં નવાઈ નથી. શ્રી હેમચન્દ્રાચાર્યનો નિષ્કર્ષ સૂત્ર ૧૬(૧.૧૬)ની વૃત્તિમાં શ્રી હેમચન્દ્રાચાર્ય પ્રયોજેલા શબ્દો પરથી જ એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ સંકેત વિશેનો, વૈયાકરણોને સંમત, જાત્યાદિવાદ સ્વીકારે છે અને ચતુર્વિધ ઉપાધિમાં સંકેત રહેલો છે એવું માને છે. વળી, જ્યાં સુધી કાવ્યશાસ્ત્રનો સંબંધ છે ત્યાં સુધી, જાત્યાદિવાદ જ મહત્વનો છે. કેમ કે આનંદવર્ધને તથા મમ્મટ જેવા પુરોગામી આચાર્યોએ, અલંકારશાસ્ત્રના ઘણા મહત્ત્વના તથા ગૌણ વિષયો અંગે વૈયાકરણોના મત પ્રત્યે નિષ્ઠા દર્શાવેલી છે. આચાર્ય મમ્મટે કાવ્યપ્રકાશના બીજા ઉલ્લાસમાં વિસ્તારપૂર્વક વૈયાકરણો તથા મીમાંસકોના મતની માંગણી કરી છે અને બીજા બે મતો(તદ્વાન્ અને અપહ)ની ટૂંકમાં સમીક્ષા કરી છે. પણ શ્રી હેમચન્દ્રાચાર્ય સૂ. ૧૬(૧.૧૬)ની વૃત્તિમાં બહુ જ સંક્ષેપમાં ચારેય વાદોનો નિર્દેશ કરીને, કાવ્યશાસ્ત્રના આ ગ્રંથમાં, બધા મતોની વિસ્તૃત ચર્ચા અપ્રસ્તુત તથા અનુપયોગી છે એમ કહી ચર્ચાને સમેટી લે છે. જોકે, ‘વિવેક'-વ્યાખ્યામાં તેઓ આ ચારેય મતો વિશે જરૂરી માહિતી પૂરી પાડે છે અને જાત્યાદિવાદ તથા જાતિવાદની સમીક્ષા વિશેષ વિસ્તારથી કરે છે. જ્યારે “તકા' અને “અપોહ' વિશે લાક્ષણિક અવતરણોપરિચ્છેદો રજૂ કરીને જ ચર્ચા પૂરી કરે છે. આમ, એકંદરે જોતાં, કાવ્યાનુશાસનમાં, સંકેતને લગતા જુદા જુદા મતો ઠીક ઠીક વિસ્તારથી નિરૂપણ પામ્યા છે. અને મહાભાષ્યકારના મતની પૂરી ૧૪૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy