SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક(૮) રજૂ કરે છે. અહીં સીતાને યેનકેન પ્રકારેણ પરણવા તત્પર થયેલા રાવણન, જનક રાજા સીતાને વરવા માટે અયોગ્ય જાહેર કરે છે. પ્લાનાથે આ પ્રમાણે છે : એની (રાવણની) આજ્ઞા ઈન્દ્રના મસ્તક પરના મણિને પ્રિય(માન્ય) છે; શાસ્ત્રો એની નવીન આંખ છે; પશુપતિ શિવજી પ્રત્યે (એની) ભક્તિ: દિવ્ય લંકાનગરી એનું નિવાસસ્થાન; અને બ્રહ્માના કુળમાં એનો જન્મ -ખરે ! આવો વર મળવો જ મુશ્કેલ છે. જો એ રાવણ (જગતને પીડનાર, રડાવનાર) ન હોત તો કેવું સારું થાત ! પણ બધા ગુણો બધે ઠેકાણે ક્યાંથી હોય?” આ શ્લોક વિશે ગ્રંથકાર વૃત્તિમાં કહે છે કે આ શ્લોક “આ રાવણ ન હોત તો કેવું સાર થાત !' (ચીજો રવિ : I) એ શબ્દો આગળ જ પૂરો થવો જોઈતો હતો. કેમકે “રાવણ એટલે રડાવનાર’ એવો બીજો અર્થ પ્રતિપાદિત કરનાર એ “રાવણ' શબ્દ જનક રાજાનો ધર્મવીર માટેના ઊંચો આદર બતાવે છે. ઐશ્વર્યા છે પાંડિત્ય. પરમશિવની ભક્તિ, પ્રતિષ્ઠિત દેશ, ઊંચા વંશ - આ બધું જગતને ત્રાસ આપનાર અધર્મી માણસને બંધબેસતું નથી થતું. તેથી બધાને પીડા કરવાનું રાવણનું કૃત્ય જ, તના, ઉપર વર્ણવેલા બધા સદગુણોનો છેદ ઉડાડે છે અને રાવણને અયોગ્ય ઠેરવે છે એ જ શ્લોકમાં પૂરેપૂરું કહેવું જોઈ હતું. પણ તુ પુનઃ' એ શ્લોકના બીજા શબ્દો (છેલ્લા ચરણમાં) આવે છે તે સંદેહ બતાવવા યોજયા હોય કે (અગાઉના અર્થનો) આક્ષેપ (ઇનકાર; વિરોધ) કરવા માટે હોય; અથવા “આવો વર નહીં મળે એ વાક્યનું સમર્થન કરવા માટે અર્થાન્તરન્યાસ અલંકારના અંગ તરીકે યોજ્યા હોય તો પણ એ શબ્દો, શ્લોકના ધર્મવીર રસને કોઈ પણ રીતે પોષક થઈ શક્તા નથી. ટૂંકમાં, કલકનાં પ્રથમ ત્રણ ચરણમાં વર્ણવેલા ગુણ રાવણને સારો વર બનાવે- જો એ “રાવણ'(જગતને રડાવનાર) ન હોય તો. રાવણ જગતનો પડક હોવાથી તિરસ્કારપાત્ર જ છે; અપાત્ર છે; દોષપાત્ર છે; “રાવણ' શબ્દ જ તિરસ્કરણીય છે. આટલું કહેવું પૂરતું છે. છતાં કવિ છેલ્લી અર્ધી લીટીમાં પણ બધા ગુણો બધે ક્યાંથી હોય ?” એ જે વિધાન કરે છે તે આ શ્લોકમાં નકામું છે, અસ્થાને છે. એ વિધાનથી કાં તો સંદેહ(બધા સારા ગુણો એક સ્થાને હોય કે ન હોય એવો સંદેહ) ઉત્પન્ન થાય; અથવા આક્ષેપ (અગાઉના વિધાનનો ઈનકાર) પેદા થાય; અથવા અનેક અવગુણ હોય તોય શું વાંધો ? એ પ્રકારનો સર્વદેશીય નિયમ દર્શાવીને રાવણ વર તરીકે ચાલી શકે એવો અર્થ પ્રકટે. આમ, છેલ્લા ચરણના આ ત્રણેય અર્થો રાવણનાધર્મવીરત્વને (અને કાવ્યના મુખ્ય રસને) પોષક બનતા નથી. ૧૨૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy