SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રચલિત છે. આ કવિનાં વચનો નીરસ છે, મારાં વચનો સરસ છે. આ પરભાષાનો કવિ છે, હું બીજી જ ભાષાનો માનીતો કવિ છું; આ કાવ્યને જાણનારા મરી ચૂક્યા છે; આ બીજા દેશના કવિની કૃતિ છે; આ કાવ્ય કોનું છે, ક્યાં રચાયું છે તે કોઈ જાણતું નથી; આ કાવ્યનો કર્તા પરદેશી છે- આવાં આવાં કારણોથી શબ્દહરણ અને અર્થહરણ થઈ શકે છે.” અવંતિસુંદરીના આ શબ્દો રજૂ કર્યા પછી, હરણના વિષયમાં પોતે કરેલી ચર્ચાની પૂર્તિ માટે, ગ્રંથકાર, ફરીથી રાજશેખરકૃત કાવ્યમીમાંસા(અ.૧૧)માંથી, ત્રણ જાણીતા શ્લોકો, ‘વિવેક'માં અવતરણ (૧૨) તરીકે ટાંકે છે. આ ત્રણ શ્લોકોનો અર્થ આ પ્રમાણે છે - ૧. કાવ્યની રચના કરનાર કવિઓ તેમજ વેપારી લોકો ચોર ન હોય તેવું બને નહીં. એમની અંદર એ લોકોને અભિનંદનીય છે જે ચોરીને છુપાવી જાણે છે અને નિંદાથી બચી શકે છે. કેટલાક કવિઓ ૧. ઉત્પાદક(સર્જક) હોય છે; ૨. કોઈ કોઈ કવિઓ પરિવર્તક(ફેરફાર કરીને અપનાવનાર) હોય છે; ૩. બીજા કવિઓ આચ્છાદક(સંતાડી શકનાર) હોય છે; તેવી જ રીત, ૪. બીજા (કેટલાક) કવિઓ સંવર્ધક(ઉમેરો કરનાર) @ય છે. 3. જે કવિ શબ્દો, અર્થો અને ઉક્તિઓમાં કશુંક નવું જોવાની શક્તિ ધરાવે છે અને પોતાની પ્રતિભાના બળે કંઈક ચિરંતન સર્જન કરી શકે છે તેને જ મહાકવિ ગણવો જોઈએ. આ ત્રણેય શ્લોકોનો સારાંશ એ છે કે કવિઓ તથા વેપારીઓ કોઈને કોઈ રીતે કે સ્વરૂપે ચોરી કરતા હોય છે. આ દૃષ્ટિએ વાક્યૌર્ય કે સાહિત્યમાં શબ્દાર્થનું હરણ એ કોઈ નવી ચીજ નથી. પણ જે ખબરદારીપૂર્વક હરણ કરે છે તે ટીકાપાત્ર થતો નથી ને પ્રશંસા પ્રાપ્ત કરે છે. બીજાના કાવ્યમાંથી લીધેલી સામગ્રીને ખબરદારીપૂર્વક પોતાના કાવ્યમાં વણી લેવાના ઉપાયો, “છાયાદિ ઉપજીવન” એ શીર્ષક હેઠળ, નિરૂપણ પામ્યાં છે જ. આ રીતે રચના કરનારા ઉત્પાદક, પરિવર્તક, આચ્છાદાક અને સંવર્ધક કવિઓના ચાર પ્રકાર ગણાવી, છેલ્લા શ્લોકમાં, પ્રતિભાસંપન્ન મહાકવિનો પાંચમો પ્રકાર દર્શાવી, રાજશેખરે, શબ્દહરણ(ક.મી.અ.૧૧)ની ચર્ચાનું પ્રકરણ સમાપ્ત કર્યું છે. “કાવ્યનુશાસન'ના સૂત્ર, વૃત્તિ તથા વ્યાખ્યા એ ત્રણ ભાગોમાં, શ્રી હેમચંદ્રાચાર્ય, શિક્ષાના ચોથા પ્રકાર તરીકે ઉપજીવન, અવલંબન, અનુકરણ
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy