SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના બીજું ઉદા. “કન્નતઃ પ્રોડ્યુસદ્ રા... ઈ.” જ્યાં પયોધર શબ્દનો એક અર્થ સંદર્ભમાં નિયત થયા પછી બીજો અર્થ વ્યંજનાથી આવે છે. ત્રીજું ઉદા. “સ્તાનન્તાક પ્રજ્ઞાનાં... ઈ.” છે. ૧૧. રસવત્ વગેરે અલંકારો, રસાભાસ અને ગુણીભૂતવ્યંગ્ય. રસવત્ વગેરે અલંકારો (૧) ધ્વનિમતની સ્થાપના થઈ તે પહેલાંના આલંકારિકો-ભામહ, દંડી, ઉલ્કા વગેરેના મતે રસાદિ જ્યારે મુખ્ય કે ગણરીતે વ્યક્ત થાય ત્યારે એમને અલંકારો ગણવામાં આવતા હતા. તેઓ રસને પણ અલંકાર ગણતા, જે સ્વાભાવિક છે, કેમકે તેઓ ધ્વનિ વિશે જાણતા ન હતા, તેને માનતા ન હતા. તેમજ તેઓ રસને પણ કાવ્યનો આત્મા ગણતા નથી. (૨) રસવ, પ્રેયસ, ઉર્જસ્વિ અને સમાહિત સાદિ સાથે સંબંધ ધરાવતા અલંકારે છે. i) જ્યારે રસ કોઈ બીજા રસાદિનું અંગ બને ત્યારે “રસવત્ અલંકાર કહેવાય છે. (i) જ્યારે ભાવ બીજાનું અંગ બને ત્યારે પ્રેયસ્ અલંકાર કહેવાય છે. (ii) રસાભાસ અને ભાવાભાસ જ્યારે અંગરૂપે આવે ત્યારે ‘ઉર્જર્તિ અલંકાર બને છે. (iv) ભાવશાંતિ વગેરે જ્યારે અંગ બને ત્યારે સમાહિત’ અલંકાર થાય છે. (૩) અલંકારશાસ્ત્રમાં ‘રસવત્ અલંકારના સ્વરૂપ અંગે તથા તેને સ્વીકારવા અંગે મતભેદ છે. રસવત્ અલંકાર ન માનનાર વિદ્વાનો કહે છે કે આ અલંકારને રસ સાથે સંબંધ છે. તે વાચક શબ્દ અને વાચ્ય અર્થને ઉપકારક થતો નથી, તે રસાદિને ઉપકારક થાય છે. રસવમાં અલંકારનું લક્ષણ લાગુ પડતું નથી. તેથી એ અલંકાર નથી. આ વિદ્વાનો, જ્યારે રસ વગેરે, બીજાના અંગ તરીકે આવ્યા હોય ત્યારે તેને રસવત્ અલંકાર કહેવાને બદલે ‘ગુણીભૂત વ્યંગ્ય’ કહે છે. (૪) અન્ય વિદ્વાનો રસના ઉપકારકત્વને પણ અલંકારનું લક્ષણ માને છે અને રસવત્ અલંકારનો સ્વીકાર કરે છે. (૫) જે વિદ્વાનો (નં.-૩માં નિર્દિષ્ટ) રસવનો સ્વીકાર કરતા નથી તેમની માન્યતા છે કે અલંકારો તો શબ્દ અને અર્થને ઉપકારક હોય છે. ગુણીભૂતવ્યંગ્ય રસ સાક્ષાત્ બીજા રસને ઉપકારક હોય છે. તેથી તેમાં અલંકારનું સામાન્ય લક્ષણ લાગુ પડતું નથી. તેથી તેઓ રસવત્ ને બદલે ગુણીભૂતવ્યંગ્ય કહે છે. તેમના મતે ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્ય બે જ વસ્તુ છે. એનાથી જુદો ‘રસવત્ અલંકાર” કે એવી કોઈ વસ્તુ નથી.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy